< Süleyman'In Özdeyişleri 28 >

1 Kötü kişi kendisini kovalayan olmasa bile kaçar, Doğrularsa genç aslan gibi yüreklidir.
કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ વ્યક્તિ નાસી જાય છે, પણ નેકીવાનો સિંહના જેવા નીડર હોય છે.
2 Ayaklanan ülke çok başlı olur, Ama akıllı, bilgili kişi düzeni sağlar.
દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે; પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે.
3 Yoksulu ezen yoksul, Ürünü harap eden sağanak yağmur gibidir.
જે માણસ પોતે નિર્ધન હોવા છતાં ગરીબ માણસો પર જુલમ ગુજારે છે તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.
4 Yasayı terk eden kötüyü över, Yerine getirense kötüye karşı çıkar.
જેઓ નિયમ પાળતા નથી, તેઓ દુર્જનને વખાણે છે, પણ જેઓ નિયમનું પાલન કરે છે તેઓની સામે વિરોધ કરે છે.
5 Kötüler adaletten anlamaz, RAB'be yönelenlerse her yönüyle anlar.
દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી, પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.
6 Dürüst bir yoksul olmak, Yolsuzlukla zengin olmaktan yeğdir.
જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.
7 Kutsal Yasa'yı yerine getiren çocuk akıllıdır, Oburlarla arkadaşlık edense babasını utandırır.
જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે, પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે.
8 Faiz ve tefecilikle malına mal katan kişi, Bunu yoksullara acıyan için biriktirir.
જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.
9 Yasaya kulağını tıkayanın Duası da iğrençtir.
જે માણસ નીતિનિયમ પાળતો નથી અને પોતાના કાન અવળા ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળાજનક છે.
10 Dürüst kişileri kötü yola saptıran Kendi kazdığı çukura düşer. İyiliği, özü sözü bir olanlar miras alacak.
૧૦જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, તે પોતે પોતાના જ ખાડામાં પડે છે, પણ નિર્દોષ માણસનું ભલું થાય છે અને તેને વારસો મળશે.
11 Zengin kendini bilge sanır, Ama akıllı yoksul onun içini okur.
૧૧ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે, પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે.
12 Doğruların zaferi coşkuyla kutlanır, Ama kötüler egemen olunca insan kaçacak yer arar.
૧૨જ્યારે ન્યાયી વિજયી થાય છે, ત્યારે આનંદોત્સવ થાય છે, પણ જ્યારે દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે.
13 Günahlarını gizleyen başarılı olmaz, İtiraf edip bırakansa merhamet bulur.
૧૩જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.
14 Günahtan çekinen ne mutludur! İnatçılık edense belaya düşer.
૧૪જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
15 Yoksul halkı yöneten kötü kişi Kükreyen aslan, saldırgan ayı gibidir.
૧૫ગરીબ લોકોને માથે દુષ્ટ અધિકારી હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.
16 Gaddar önderin aklı kıttır; Haksız kazançtan nefret edense uzun ömürlü olur.
૧૬સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે.
17 Adam öldürmekten vicdan azabı çeken, mezara dek kaçacaktır; Kimse ona yardım etmesin.
૧૭જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે, કોઈએ તેને મદદ કરવી નહિ.
18 Alnı ak yaşayan kurtulur, Yolsuzluk yapan ansızın yıkıma uğrar.
૧૮જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, પણ જે પોતાના માર્ગોથી ફંટાય છે તેની અચાનક પડતી થશે.
19 Toprağını işleyenin ekmeği bol olur, Hayal peşinde koşansa yoksulluğa doyar.
૧૯જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે, પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે.
20 Güvenilir kişi bolluğa erer, Zengin olmaya can atansa beladan kurtulamaz.
૨૦વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.
21 Hatır gözetmek iyi değildir, Çünkü insan bir lokma ekmek için bile suç işler.
૨૧પક્ષપાત કરવો એ યોગ્ય નથી, તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી.
22 Cimri servet peşinde koşar, Yoksulluğa uğrayacağını düşünmez.
૨૨લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે.
23 Başkasını azarlayan sonunda Pohpohlayandan daha çok beğeni kazanır.
૨૩જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે.
24 Annesini ya da babasını soymayı günah saymayan, Haydutla birdir.
૨૪જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, “એ પાપ નથી,” તે નાશ કરનારનો સોબતી છે.
25 Açgözlü kavga çıkarır, RAB'be güvenense bolluk içinde yaşar.
૨૫જે વ્યક્તિ લોભી મનની હોય છે, તે ઝઘડા ઊભા કરે છે, પણ જે યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.
26 Kendine güvenen akılsızdır, Bilgece davranan güvenlikte olur.
૨૬જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે, પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.
27 Yoksula verenin eksiği olmaz, Yoksulu görmezden gelense bir sürü lanete uğrar.
૨૭જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી, પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે.
28 Kötüler egemen olunca insan kaçacak yer arar, Ama kötüler yok olunca doğrular çoğalır.
૨૮જ્યારે દુષ્ટોની ઉન્નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે, પણ જ્યારે તેઓની પડતી આવે છે, ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.

< Süleyman'In Özdeyişleri 28 >