< 1 కరిన్థినః 7 >

1 అపరఞ్చ యుష్మాభి ర్మాం ప్రతి యత్ పత్రమలేఖి తస్యోత్తరమేతత్, యోషితోఽస్పర్శనం మనుజస్య వరం;
હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.
2 కిన్తు వ్యభిచారభయాద్ ఏకైకస్య పుంసః స్వకీయభార్య్యా భవతు తద్వద్ ఏకైకస్యా యోషితో ఽపి స్వకీయభర్త్తా భవతు|
પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.
3 భార్య్యాయై భర్త్రా యద్యద్ వితరణీయం తద్ వితీర్య్యతాం తద్వద్ భర్త్రేఽపి భార్య్యయా వితరణీయం వితీర్య్యతాం|
પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.
4 భార్య్యాయాః స్వదేహే స్వత్వం నాస్తి భర్త్తురేవ, తద్వద్ భర్త్తురపి స్వదేహే స్వత్వం నాస్తి భార్య్యాయా ఏవ|
પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
5 ఉపోషణప్రార్థనయోః సేవనార్థమ్ ఏకమన్త్రణానాం యుష్మాకం కియత్కాలం యావద్ యా పృథక్స్థితి ర్భవతి తదన్యో విచ్ఛేదో యుష్మన్మధ్యే న భవతు, తతః పరమ్ ఇన్ద్రియాణామ్ అధైర్య్యాత్ శయతాన్ యద్ యుష్మాన్ పరీక్షాం న నయేత్ తదర్థం పునరేకత్ర మిలత|
એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
6 ఏతద్ ఆదేశతో నహి కిన్త్వనుజ్ఞాత ఏవ మయా కథ్యతే,
પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.
7 యతో మమావస్థేవ సర్వ్వమానవానామవస్థా భవత్వితి మమ వాఞ్ఛా కిన్త్వీశ్వరాద్ ఏకేనైకో వరోఽన్యేన చాన్యో వర ఇత్థమేకైకేన స్వకీయవరో లబ్ధః|
મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
8 అపరమ్ అకృతవివాహాన్ విధవాశ్చ ప్రతి మమైతన్నివేదనం మమేవ తేషామవస్థితి ర్భద్రా;
પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”
9 కిఞ్చ యది తైరిన్ద్రియాణి నియన్తుం న శక్యన్తే తర్హి వివాహః క్రియతాం యతః కామదహనాద్ వ్యూఢత్వం భద్రం|
પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
10 యే చ కృతవివాహాస్తే మయా నహి ప్రభునైవైతద్ ఆజ్ఞాప్యన్తే|
૧૦પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
11 భార్య్యా భర్త్తృతః పృథక్ న భవతు| యది వా పృథగ్భూతా స్యాత్ తర్హి నిర్వివాహా తిష్ఠతు స్వీయపతినా వా సన్దధాతు భర్త్తాపి భార్య్యాం న త్యజతు|
૧૧પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
12 ఇతరాన్ జనాన్ ప్రతి ప్రభు ర్న బ్రవీతి కిన్త్వహం బ్రవీమి; కస్యచిద్ భ్రాతుర్యోషిద్ అవిశ్వాసినీ సత్యపి యది తేన సహవాసే తుష్యతి తర్హి సా తేన న త్యజ్యతాం|
૧૨હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;
13 తద్వత్ కస్యాశ్చిద్ యోషితః పతిరవిశ్వాసీ సన్నపి యది తయా సహవాసే తుష్యతి తర్హి స తయా న త్యజ్యతాం|
૧૩કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.
14 యతోఽవిశ్వాసీ భర్త్తా భార్య్యయా పవిత్రీభూతః, తద్వదవిశ్వాసినీ భార్య్యా భర్త్రా పవిత్రీభూతా; నోచేద్ యుష్మాకమపత్యాన్యశుచీన్యభవిష్యన్ కిన్త్వధునా తాని పవిత్రాణి సన్తి|
૧૪કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
15 అవిశ్వాసీ జనో యది వా పృథగ్ భవతి తర్హి పృథగ్ భవతు; ఏతేన భ్రాతా భగినీ వా న నిబధ్యతే తథాపి వయమీశ్వరేణ శాన్తయే సమాహూతాః|
૧૫પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
16 హే నారి తవ భర్త్తుః పరిత్రాణం త్వత్తో భవిష్యతి న వేతి త్వయా కిం జ్ఞాయతే? హే నర తవ జాయాయాః పరిత్రాణం త్వత్తే భవిష్యతి న వేతి త్వయా కిం జ్ఞాయతే?
૧૬અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
17 ఏకైకో జనః పరమేశ్వరాల్లబ్ధం యద్ భజతే యస్యాఞ్చావస్థాయామ్ ఈశ్వరేణాహ్వాయి తదనుసారేణైవాచరతు తదహం సర్వ్వసమాజస్థాన్ ఆదిశామి|
૧૭કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
18 ఛిన్నత్వగ్ భృత్వా య ఆహూతః స ప్రకృష్టత్వక్ న భవతు, తద్వద్ అఛిన్నత్వగ్ భూత్వా య ఆహూతః స ఛిన్నత్వక్ న భవతు|
૧૮શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
19 త్వక్ఛేదః సారో నహి తద్వదత్వక్ఛేదోఽపి సారో నహి కిన్త్వీశ్వరస్యాజ్ఞానాం పాలనమేవ|
૧૯સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
20 యో జనో యస్యామవస్థాయామాహ్వాయి స తస్యామేవావతిష్ఠతాం|
૨૦દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
21 దాసః సన్ త్వం కిమాహూతోఽసి? తన్మా చిన్తయ, తథాచ యది స్వతన్త్రో భవితుం శక్నుయాస్తర్హి తదేవ వృణు|
૨૧શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.
22 యతః ప్రభునాహూతో యో దాసః స ప్రభో ర్మోచితజనః| తద్వద్ తేనాహూతః స్వతన్త్రో జనోఽపి ఖ్రీష్టస్య దాస ఏవ|
૨૨કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.
23 యూయం మూల్యేన క్రీతా అతో హేతో ర్మానవానాం దాసా మా భవత|
૨૩તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.
24 హే భ్రాతరో యస్యామవస్థాయాం యస్యాహ్వానమభవత్ తయా స ఈశ్వరస్య సాక్షాత్ తిష్ఠతు|
૨૪ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
25 అపరమ్ అకృతవివాహాన్ జనాన్ ప్రతి ప్రభోః కోఽప్యాదేశో మయా న లబ్ధః కిన్తు ప్రభోరనుకమ్పయా విశ్వాస్యో భూతోఽహం యద్ భద్రం మన్యే తద్ వదామి|
૨૫હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
26 వర్త్తమానాత్ క్లేశసమయాత్ మనుష్యస్యానూఢత్వం భద్రమితి మయా బుధ్యతే|
૨૬તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.
27 త్వం కిం యోషితి నిబద్ధోఽసి తర్హి మోచనం ప్రాప్తుం మా యతస్వ| కిం వా యోషితో ముక్తోఽసి? తర్హి జాయాం మా గవేషయ|
૨૭શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
28 వివాహం కుర్వ్వతా త్వయా కిమపి నాపారాధ్యతే తద్వద్ వ్యూహ్యమానయా యువత్యాపి కిమపి నాపరాధ్యతే తథాచ తాదృశౌ ద్వౌ జనౌ శారీరికం క్లేశం లప్స్యేతే కిన్తు యుష్మాన్ ప్రతి మమ కరుణా విద్యతే|
૨૮જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29 హే భ్రాతరోఽహమిదం బ్రవీమి, ఇతః పరం సమయోఽతీవ సంక్షిప్తః,
૨૯ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
30 అతః కృతదారైరకృతదారైరివ రుదద్భిశ్చారుదద్భిరివ సానన్దైశ్చ నిరానన్దైరివ క్రేతృభిశ్చాభాగిభిరివాచరితవ్యం
૩૦રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
31 యే చ సంసారే చరన్తి తై ర్నాతిచరితవ్యం యత ఇహలేకస్య కౌతుకో విచలతి|
૩૧અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
32 కిన్తు యూయం యన్నిశ్చిన్తా భవేతేతి మమ వాఞ్ఛా| అకృతవివాహో జనో యథా ప్రభుం పరితోషయేత్ తథా ప్రభుం చిన్తయతి,
૩૨પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
33 కిన్తు కృతవివాహో జనో యథా భార్య్యాం పరితోషయేత్ తథా సంసారం చిన్తయతి|
૩૩પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
34 తద్వద్ ఊఢయోషితో ఽనూఢా విశిష్యతే| యానూఢా సా యథా కాయమనసోః పవిత్రా భవేత్ తథా ప్రభుం చిన్తయతి యా చోఢా సా యథా భర్త్తారం పరితోషయేత్ తథా సంసారం చిన్తయతి|
૩૪તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
35 అహం యద్ యుష్మాన్ మృగబన్ధిన్యా పరిక్షిపేయం తదర్థం నహి కిన్తు యూయం యదనిన్దితా భూత్వా ప్రభోః సేవనేఽబాధమ్ ఆసక్తా భవేత తదర్థమేతాని సర్వ్వాణి యుష్మాకం హితాయ మయా కథ్యన్తే|
૩૫પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
36 కస్యచిత్ కన్యాయాం యౌవనప్రాప్తాయాం యది స తస్యా అనూఢత్వం నిన్దనీయం వివాహశ్చ సాధయితవ్య ఇతి మన్యతే తర్హి యథాభిలాషం కరోతు, ఏతేన కిమపి నాపరాత్స్యతి వివాహః క్రియతాం|
૩૬પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.
37 కిన్తు దుఃఖేనాక్లిష్టః కశ్చిత్ పితా యది స్థిరమనోగతః స్వమనోఽభిలాషసాధనే సమర్థశ్చ స్యాత్ మమ కన్యా మయా రక్షితవ్యేతి మనసి నిశ్చినోతి చ తర్హి స భద్రం కర్మ్మ కరోతి|
૩૭પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.
38 అతో యో వివాహం కరోతి స భద్రం కర్మ్మ కరోతి యశ్చ వివాహం న కరోతి స భద్రతరం కర్మ్మ కరోతి|
૩૮એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.
39 యావత్కాలం పతి ర్జీవతి తావద్ భార్య్యా వ్యవస్థయా నిబద్ధా తిష్ఠతి కిన్తు పత్యౌ మహానిద్రాం గతే సా ముక్తీభూయ యమభిలషతి తేన సహ తస్యా వివాహో భవితుం శక్నోతి, కిన్త్వేతత్ కేవలం ప్రభుభక్తానాం మధ్యే|
૩૯પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
40 తథాచ సా యది నిష్పతికా తిష్ఠతి తర్హి తస్యాః క్షేమం భవిష్యతీతి మమ భావః| అపరమ్ ఈశ్వరస్యాత్మా మమాప్యన్త ర్విద్యత ఇతి మయా బుధ్యతే|
૪૦પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.

< 1 కరిన్థినః 7 >