< 1 කරින්ථිනඃ 2 >

1 හේ භ්‍රාතරෝ යුෂ්මත්සමීපේ මමාගමනකාලේ(අ)හං වක්තෘතායා විද්‍යායා වා නෛපුණ්‍යේනේශ්වරස්‍ය සාක්‍ෂ්‍යං ප්‍රචාරිතවාන් තන්නහි;
ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
2 යතෝ යීශුඛ්‍රීෂ්ටං තස්‍ය ක්‍රුශේ හතත්වඤ්ච විනා නාන්‍යත් කිමපි යුෂ්මන්මධ්‍යේ ඥාපයිතුං විහිතං බුද්ධවාන්|
કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
3 අපරඤ්චාතීව දෞර්බ්බල්‍යභීතිකම්පයුක්තෝ යුෂ්මාභිඃ සාර්ද්ධමාසං|
હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
4 අපරං යුෂ්මාකං විශ්වාසෝ යත් මානුෂිකඥානස්‍ය ඵලං න භවේත් කින්ත්වීශ්වරීයශක්තේඃ ඵලං භවේත්,
મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
5 තදර්ථං මම වක්තෘතා මදීයප්‍රචාරශ්ච මානුෂිකඥානස්‍ය මධුරවාක්‍යසම්බලිතෞ නාස්තාං කින්ත්වාත්මනඃ ශක්තේශ්ච ප්‍රමාණයුක්තාවාස්තාං|
કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
6 වයං ඥානං භාෂාමහේ තච්ච සිද්ධලෝකෛ ර්ඥානමිව මන්‍යතේ, තදිහලෝකස්‍ය ඥානං නහි, ඉහලෝකස්‍ය නශ්වරාණාම් අධිපතීනාං වා ඥානං නහි; (aiōn g165)
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn g165)
7 කින්තු කාලාවස්ථායාඃ පූර්ව්වස්මාද් යත් ඥානම් අස්මාකං විභවාර්ථම් ඊශ්වරේණ නිශ්චිත්‍ය ප්‍රච්ඡන්නං තන්නිගූඪම් ඊශ්වරීයඥානං ප්‍රභාෂාමහේ| (aiōn g165)
પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn g165)
8 ඉහලෝකස්‍යාධිපතීනාං කේනාපි තත් ඥානං න ලබ්ධං, ලබ්ධේ සති තේ ප්‍රභාවවිශිෂ්ටං ප්‍රභුං ක්‍රුශේ නාහනිෂ්‍යන්| (aiōn g165)
આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn g165)
9 තද්වල්ලිඛිතමාස්තේ, නේත්‍රේණ ක්කාපි නෝ දෘෂ්ටං කර්ණේනාපි ච න ශ්‍රුතං| මනෝමධ්‍යේ තු කස්‍යාපි න ප්‍රවිෂ්ටං කදාපි යත්| ඊශ්වරේ ප්‍රීයමාණානාං කෘතේ තත් තේන සඤ්චිතං|
પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
10 අපරමීශ්වරඃ ස්වාත්මනා තදස්මාකං සාක්‍ෂාත් ප්‍රාකාශයත්; යත ආත්මා සර්ව්වමේවානුසන්ධත්තේ තේන චේශ්වරස්‍ය මර්ම්මතත්ත්වමපි බුධ්‍යතේ|
૧૦તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
11 මනුජස්‍යාන්තඃස්ථමාත්මානං විනා කේන මනුජේන තස්‍ය මනුජස්‍ය තත්ත්වං බුධ්‍යතේ? තද්වදීශ්වරස්‍යාත්මානං විනා කේනාපීශ්වරස්‍ය තත්ත්වං න බුධ්‍යතේ|
૧૧કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
12 වයඤ්චේහලෝකස්‍යාත්මානං ලබ්ධවන්තස්තන්නහි කින්ත්වීශ්වරස්‍යෛවාත්මානං ලබ්ධවන්තඃ, තතෝ හේතෝරීශ්වරේණ ස්වප්‍රසාදාද් අස්මභ්‍යං යද් යද් දත්තං තත්සර්ව්වම් අස්මාභි ර්ඥාතුං ශක්‍යතේ|
૧૨પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
13 තච්චාස්මාභි ර්මානුෂිකඥානස්‍ය වාක්‍යානි ශික්‍ෂිත්වා කථ්‍යත ඉති නහි කින්ත්වාත්මතෝ වාක්‍යානි ශික්‍ෂිත්වාත්මිකෛ ර්වාක්‍යෛරාත්මිකං භාවං ප්‍රකාශයද්භිඃ කථ්‍යතේ|
૧૩તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
14 ප්‍රාණී මනුෂ්‍ය ඊශ්වරීයාත්මනඃ ශික්‍ෂාං න ගෘහ්ලාති යත ආත්මිකවිචාරේණ සා විචාර‍්‍ය්‍යේති හේතෝඃ ස තාං ප්‍රලාපමිව මන්‍යතේ බෝද්ධුඤ්ච න ශක්නෝති|
૧૪સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
15 ආත්මිකෝ මානවඃ සර්ව්වාණි විචාරයති කින්තු ස්වයං කේනාපි න විචාර‍්‍ය්‍යතේ|
૧૫પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
16 යත ඊශ්වරස්‍ය මනෝ ඥාත්වා තමුපදේෂ්ටුං කඃ ශක්නෝති? කින්තු ඛ්‍රීෂ්ටස්‍ය මනෝ(අ)ස්මාභි ර්ලබ්ධං|
૧૬કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

< 1 කරින්ථිනඃ 2 >