< ၁ ကရိန္ထိနး 7 >

1 အပရဉ္စ ယုၐ္မာဘိ ရ္မာံ ပြတိ ယတ် ပတြမလေခိ တသျောတ္တရမေတတ်, ယောၐိတော'သ္ပရ္ၑနံ မနုဇသျ ဝရံ;
હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.
2 ကိန္တု ဝျဘိစာရဘယာဒ် ဧကဲကသျ ပုံသး သွကီယဘာရျျာ ဘဝတု တဒွဒ် ဧကဲကသျာ ယောၐိတော 'ပိ သွကီယဘရ္တ္တာ ဘဝတု၊
પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.
3 ဘာရျျာယဲ ဘရ္တြာ ယဒျဒ် ဝိတရဏီယံ တဒ် ဝိတီရျျတာံ တဒွဒ် ဘရ္တြေ'ပိ ဘာရျျယာ ဝိတရဏီယံ ဝိတီရျျတာံ၊
પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.
4 ဘာရျျာယား သွဒေဟေ သွတွံ နာသ္တိ ဘရ္တ္တုရေဝ, တဒွဒ် ဘရ္တ္တုရပိ သွဒေဟေ သွတွံ နာသ္တိ ဘာရျျာယာ ဧဝ၊
પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
5 ဥပေါၐဏပြာရ္ထနယေား သေဝနာရ္ထမ် ဧကမန္တြဏာနာံ ယုၐ္မာကံ ကိယတ္ကာလံ ယာဝဒ် ယာ ပၖထက္သ္ထိတိ ရ္ဘဝတိ တဒနျော ဝိစ္ဆေဒေါ ယုၐ္မန္မဓျေ န ဘဝတု, တတး ပရမ် ဣန္ဒြိယာဏာမ် အဓဲရျျာတ် ၑယတာန် ယဒ် ယုၐ္မာန် ပရီက္ၐာံ န နယေတ် တဒရ္ထံ ပုနရေကတြ မိလတ၊
એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
6 ဧတဒ် အာဒေၑတော နဟိ ကိန္တွနုဇ္ဉာတ ဧဝ မယာ ကထျတေ,
પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.
7 ယတော မမာဝသ္ထေဝ သရွွမာနဝါနာမဝသ္ထာ ဘဝတွိတိ မမ ဝါဉ္ဆာ ကိန္တွီၑွရာဒ် ဧကေနဲကော ဝရော'နျေန စာနျော ဝရ ဣတ္ထမေကဲကေန သွကီယဝရော လဗ္ဓး၊
મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
8 အပရမ် အကၖတဝိဝါဟာန် ဝိဓဝါၑ္စ ပြတိ မမဲတန္နိဝေဒနံ မမေဝ တေၐာမဝသ္ထိတိ ရ္ဘဒြာ;
પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”
9 ကိဉ္စ ယဒိ တဲရိန္ဒြိယာဏိ နိယန္တုံ န ၑကျန္တေ တရှိ ဝိဝါဟး ကြိယတာံ ယတး ကာမဒဟနာဒ် ဝျူဎတွံ ဘဒြံ၊
પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
10 ယေ စ ကၖတဝိဝါဟာသ္တေ မယာ နဟိ ပြဘုနဲဝဲတဒ် အာဇ္ဉာပျန္တေ၊
૧૦પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
11 ဘာရျျာ ဘရ္တ္တၖတး ပၖထက် န ဘဝတု၊ ယဒိ ဝါ ပၖထဂ္ဘူတာ သျာတ် တရှိ နိရွိဝါဟာ တိၐ္ဌတု သွီယပတိနာ ဝါ သန္ဒဓာတု ဘရ္တ္တာပိ ဘာရျျာံ န တျဇတု၊
૧૧પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
12 ဣတရာန် ဇနာန် ပြတိ ပြဘု ရ္န ဗြဝီတိ ကိန္တွဟံ ဗြဝီမိ; ကသျစိဒ် ဘြာတုရျောၐိဒ် အဝိၑွာသိနီ သတျပိ ယဒိ တေန သဟဝါသေ တုၐျတိ တရှိ သာ တေန န တျဇျတာံ၊
૧૨હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;
13 တဒွတ် ကသျာၑ္စိဒ် ယောၐိတး ပတိရဝိၑွာသီ သန္နပိ ယဒိ တယာ သဟဝါသေ တုၐျတိ တရှိ သ တယာ န တျဇျတာံ၊
૧૩કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.
14 ယတော'ဝိၑွာသီ ဘရ္တ္တာ ဘာရျျယာ ပဝိတြီဘူတး, တဒွဒဝိၑွာသိနီ ဘာရျျာ ဘရ္တြာ ပဝိတြီဘူတာ; နောစေဒ် ယုၐ္မာကမပတျာနျၑုစီနျဘဝိၐျန် ကိန္တွဓုနာ တာနိ ပဝိတြာဏိ သန္တိ၊
૧૪કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
15 အဝိၑွာသီ ဇနော ယဒိ ဝါ ပၖထဂ် ဘဝတိ တရှိ ပၖထဂ် ဘဝတု; ဧတေန ဘြာတာ ဘဂိနီ ဝါ န နိဗဓျတေ တထာပိ ဝယမီၑွရေဏ ၑာန္တယေ သမာဟူတား၊
૧૫પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
16 ဟေ နာရိ တဝ ဘရ္တ္တုး ပရိတြာဏံ တွတ္တော ဘဝိၐျတိ န ဝေတိ တွယာ ကိံ ဇ္ဉာယတေ? ဟေ နရ တဝ ဇာယာယား ပရိတြာဏံ တွတ္တေ ဘဝိၐျတိ န ဝေတိ တွယာ ကိံ ဇ္ဉာယတေ?
૧૬અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
17 ဧကဲကော ဇနး ပရမေၑွရာလ္လဗ္ဓံ ယဒ် ဘဇတေ ယသျာဉ္စာဝသ္ထာယာမ် ဤၑွရေဏာဟွာယိ တဒနုသာရေဏဲဝါစရတု တဒဟံ သရွွသမာဇသ္ထာန် အာဒိၑာမိ၊
૧૭કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
18 ဆိန္နတွဂ် ဘၖတွာ ယ အာဟူတး သ ပြကၖၐ္ဋတွက် န ဘဝတု, တဒွဒ် အဆိန္နတွဂ် ဘူတွာ ယ အာဟူတး သ ဆိန္နတွက် န ဘဝတု၊
૧૮શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
19 တွက္ဆေဒး သာရော နဟိ တဒွဒတွက္ဆေဒေါ'ပိ သာရော နဟိ ကိန္တွီၑွရသျာဇ္ဉာနာံ ပါလနမေဝ၊
૧૯સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
20 ယော ဇနော ယသျာမဝသ္ထာယာမာဟွာယိ သ တသျာမေဝါဝတိၐ္ဌတာံ၊
૨૦દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
21 ဒါသး သန် တွံ ကိမာဟူတော'သိ? တန္မာ စိန္တယ, တထာစ ယဒိ သွတန္တြော ဘဝိတုံ ၑက္နုယာသ္တရှိ တဒေဝ ဝၖဏု၊
૨૧શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.
22 ယတး ပြဘုနာဟူတော ယော ဒါသး သ ပြဘော ရ္မောစိတဇနး၊ တဒွဒ် တေနာဟူတး သွတန္တြော ဇနော'ပိ ခြီၐ္ဋသျ ဒါသ ဧဝ၊
૨૨કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.
23 ယူယံ မူလျေန ကြီတာ အတော ဟေတော ရ္မာနဝါနာံ ဒါသာ မာ ဘဝတ၊
૨૩તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.
24 ဟေ ဘြာတရော ယသျာမဝသ္ထာယာံ ယသျာဟွာနမဘဝတ် တယာ သ ဤၑွရသျ သာက္ၐာတ် တိၐ္ဌတု၊
૨૪ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
25 အပရမ် အကၖတဝိဝါဟာန် ဇနာန် ပြတိ ပြဘေား ကော'ပျာဒေၑော မယာ န လဗ္ဓး ကိန္တု ပြဘောရနုကမ္ပယာ ဝိၑွာသျော ဘူတော'ဟံ ယဒ် ဘဒြံ မနျေ တဒ် ဝဒါမိ၊
૨૫હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
26 ဝရ္တ္တမာနာတ် က္လေၑသမယာတ် မနုၐျသျာနူဎတွံ ဘဒြမိတိ မယာ ဗုဓျတေ၊
૨૬તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.
27 တွံ ကိံ ယောၐိတိ နိဗဒ္ဓေါ'သိ တရှိ မောစနံ ပြာပ္တုံ မာ ယတသွ၊ ကိံ ဝါ ယောၐိတော မုက္တော'သိ? တရှိ ဇာယာံ မာ ဂဝေၐယ၊
૨૭શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
28 ဝိဝါဟံ ကုရွွတာ တွယာ ကိမပိ နာပါရာဓျတေ တဒွဒ် ဝျူဟျမာနယာ ယုဝတျာပိ ကိမပိ နာပရာဓျတေ တထာစ တာဒၖၑော် ဒွေါ် ဇနော် ၑာရီရိကံ က္လေၑံ လပ္သျေတေ ကိန္တု ယုၐ္မာန် ပြတိ မမ ကရုဏာ ဝိဒျတေ၊
૨૮જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29 ဟေ ဘြာတရော'ဟမိဒံ ဗြဝီမိ, ဣတး ပရံ သမယော'တီဝ သံက္ၐိပ္တး,
૨૯ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
30 အတး ကၖတဒါရဲရကၖတဒါရဲရိဝ ရုဒဒ္ဘိၑ္စာရုဒဒ္ဘိရိဝ သာနန္ဒဲၑ္စ နိရာနန္ဒဲရိဝ ကြေတၖဘိၑ္စာဘာဂိဘိရိဝါစရိတဝျံ
૩૦રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
31 ယေ စ သံသာရေ စရန္တိ တဲ ရ္နာတိစရိတဝျံ ယတ ဣဟလေကသျ ကော်တုကော ဝိစလတိ၊
૩૧અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
32 ကိန္တု ယူယံ ယန္နိၑ္စိန္တာ ဘဝေတေတိ မမ ဝါဉ္ဆာ၊ အကၖတဝိဝါဟော ဇနော ယထာ ပြဘုံ ပရိတောၐယေတ် တထာ ပြဘုံ စိန္တယတိ,
૩૨પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
33 ကိန္တု ကၖတဝိဝါဟော ဇနော ယထာ ဘာရျျာံ ပရိတောၐယေတ် တထာ သံသာရံ စိန္တယတိ၊
૩૩પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
34 တဒွဒ် ဦဎယောၐိတော 'နူဎာ ဝိၑိၐျတေ၊ ယာနူဎာ သာ ယထာ ကာယမနသေား ပဝိတြာ ဘဝေတ် တထာ ပြဘုံ စိန္တယတိ ယာ စောဎာ သာ ယထာ ဘရ္တ္တာရံ ပရိတောၐယေတ် တထာ သံသာရံ စိန္တယတိ၊
૩૪તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
35 အဟံ ယဒ် ယုၐ္မာန် မၖဂဗန္ဓိနျာ ပရိက္ၐိပေယံ တဒရ္ထံ နဟိ ကိန္တု ယူယံ ယဒနိန္ဒိတာ ဘူတွာ ပြဘေား သေဝနေ'ဗာဓမ် အာသက္တာ ဘဝေတ တဒရ္ထမေတာနိ သရွွာဏိ ယုၐ္မာကံ ဟိတာယ မယာ ကထျန္တေ၊
૩૫પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
36 ကသျစိတ် ကနျာယာံ ယော်ဝနပြာပ္တာယာံ ယဒိ သ တသျာ အနူဎတွံ နိန္ဒနီယံ ဝိဝါဟၑ္စ သာဓယိတဝျ ဣတိ မနျတေ တရှိ ယထာဘိလာၐံ ကရောတု, ဧတေန ကိမပိ နာပရာတ္သျတိ ဝိဝါဟး ကြိယတာံ၊
૩૬પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.
37 ကိန္တု ဒုးခေနာက္လိၐ္ဋး ကၑ္စိတ် ပိတာ ယဒိ သ္ထိရမနောဂတး သွမနော'ဘိလာၐသာဓနေ သမရ္ထၑ္စ သျာတ် မမ ကနျာ မယာ ရက္ၐိတဝျေတိ မနသိ နိၑ္စိနောတိ စ တရှိ သ ဘဒြံ ကရ္မ္မ ကရောတိ၊
૩૭પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.
38 အတော ယော ဝိဝါဟံ ကရောတိ သ ဘဒြံ ကရ္မ္မ ကရောတိ ယၑ္စ ဝိဝါဟံ န ကရောတိ သ ဘဒြတရံ ကရ္မ္မ ကရောတိ၊
૩૮એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.
39 ယာဝတ္ကာလံ ပတိ ရ္ဇီဝတိ တာဝဒ် ဘာရျျာ ဝျဝသ္ထယာ နိဗဒ္ဓါ တိၐ္ဌတိ ကိန္တု ပတျော် မဟာနိဒြာံ ဂတေ သာ မုက္တီဘူယ ယမဘိလၐတိ တေန သဟ တသျာ ဝိဝါဟော ဘဝိတုံ ၑက္နောတိ, ကိန္တွေတတ် ကေဝလံ ပြဘုဘက္တာနာံ မဓျေ၊
૩૯પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
40 တထာစ သာ ယဒိ နိၐ္ပတိကာ တိၐ္ဌတိ တရှိ တသျား က္ၐေမံ ဘဝိၐျတီတိ မမ ဘာဝး၊ အပရမ် ဤၑွရသျာတ္မာ မမာပျန္တ ရွိဒျတ ဣတိ မယာ ဗုဓျတေ၊
૪૦પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.

< ၁ ကရိန္ထိနး 7 >