< ১ করিন্থিনঃ 7 >

1 অপরঞ্চ যুষ্মাভি র্মাং প্রতি যৎ পত্রমলেখি তস্যোত্তরমেতৎ, যোষিতোঽস্পর্শনং মনুজস্য ৱরং;
હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.
2 কিন্তু ৱ্যভিচারভযাদ্ একৈকস্য পুংসঃ স্ৱকীযভার্য্যা ভৱতু তদ্ৱদ্ একৈকস্যা যোষিতো ঽপি স্ৱকীযভর্ত্তা ভৱতু|
પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.
3 ভার্য্যাযৈ ভর্ত্রা যদ্যদ্ ৱিতরণীযং তদ্ ৱিতীর্য্যতাং তদ্ৱদ্ ভর্ত্রেঽপি ভার্য্যযা ৱিতরণীযং ৱিতীর্য্যতাং|
પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.
4 ভার্য্যাযাঃ স্ৱদেহে স্ৱৎৱং নাস্তি ভর্ত্তুরেৱ, তদ্ৱদ্ ভর্ত্তুরপি স্ৱদেহে স্ৱৎৱং নাস্তি ভার্য্যাযা এৱ|
પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
5 উপোষণপ্রার্থনযোঃ সেৱনার্থম্ একমন্ত্রণানাং যুষ্মাকং কিযৎকালং যাৱদ্ যা পৃথক্স্থিতি র্ভৱতি তদন্যো ৱিচ্ছেদো যুষ্মন্মধ্যে ন ভৱতু, ততঃ পরম্ ইন্দ্রিযাণাম্ অধৈর্য্যাৎ শযতান্ যদ্ যুষ্মান্ পরীক্ষাং ন নযেৎ তদর্থং পুনরেকত্র মিলত|
એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
6 এতদ্ আদেশতো নহি কিন্ত্ৱনুজ্ঞাত এৱ মযা কথ্যতে,
પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.
7 যতো মমাৱস্থেৱ সর্ৱ্ৱমানৱানামৱস্থা ভৱৎৱিতি মম ৱাঞ্ছা কিন্ত্ৱীশ্ৱরাদ্ একেনৈকো ৱরোঽন্যেন চান্যো ৱর ইত্থমেকৈকেন স্ৱকীযৱরো লব্ধঃ|
મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
8 অপরম্ অকৃতৱিৱাহান্ ৱিধৱাশ্চ প্রতি মমৈতন্নিৱেদনং মমেৱ তেষামৱস্থিতি র্ভদ্রা;
પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”
9 কিঞ্চ যদি তৈরিন্দ্রিযাণি নিযন্তুং ন শক্যন্তে তর্হি ৱিৱাহঃ ক্রিযতাং যতঃ কামদহনাদ্ ৱ্যূঢৎৱং ভদ্রং|
પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
10 ১০ যে চ কৃতৱিৱাহাস্তে মযা নহি প্রভুনৈৱৈতদ্ আজ্ঞাপ্যন্তে|
૧૦પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
11 ১১ ভার্য্যা ভর্ত্তৃতঃ পৃথক্ ন ভৱতু| যদি ৱা পৃথগ্ভূতা স্যাৎ তর্হি নির্ৱিৱাহা তিষ্ঠতু স্ৱীযপতিনা ৱা সন্দধাতু ভর্ত্তাপি ভার্য্যাং ন ত্যজতু|
૧૧પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
12 ১২ ইতরান্ জনান্ প্রতি প্রভু র্ন ব্রৱীতি কিন্ত্ৱহং ব্রৱীমি; কস্যচিদ্ ভ্রাতুর্যোষিদ্ অৱিশ্ৱাসিনী সত্যপি যদি তেন সহৱাসে তুষ্যতি তর্হি সা তেন ন ত্যজ্যতাং|
૧૨હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;
13 ১৩ তদ্ৱৎ কস্যাশ্চিদ্ যোষিতঃ পতিরৱিশ্ৱাসী সন্নপি যদি তযা সহৱাসে তুষ্যতি তর্হি স তযা ন ত্যজ্যতাং|
૧૩કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.
14 ১৪ যতোঽৱিশ্ৱাসী ভর্ত্তা ভার্য্যযা পৱিত্রীভূতঃ, তদ্ৱদৱিশ্ৱাসিনী ভার্য্যা ভর্ত্রা পৱিত্রীভূতা; নোচেদ্ যুষ্মাকমপত্যান্যশুচীন্যভৱিষ্যন্ কিন্ত্ৱধুনা তানি পৱিত্রাণি সন্তি|
૧૪કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
15 ১৫ অৱিশ্ৱাসী জনো যদি ৱা পৃথগ্ ভৱতি তর্হি পৃথগ্ ভৱতু; এতেন ভ্রাতা ভগিনী ৱা ন নিবধ্যতে তথাপি ৱযমীশ্ৱরেণ শান্তযে সমাহূতাঃ|
૧૫પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
16 ১৬ হে নারি তৱ ভর্ত্তুঃ পরিত্রাণং ৎৱত্তো ভৱিষ্যতি ন ৱেতি ৎৱযা কিং জ্ঞাযতে? হে নর তৱ জাযাযাঃ পরিত্রাণং ৎৱত্তে ভৱিষ্যতি ন ৱেতি ৎৱযা কিং জ্ঞাযতে?
૧૬અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
17 ১৭ একৈকো জনঃ পরমেশ্ৱরাল্লব্ধং যদ্ ভজতে যস্যাঞ্চাৱস্থাযাম্ ঈশ্ৱরেণাহ্ৱাযি তদনুসারেণৈৱাচরতু তদহং সর্ৱ্ৱসমাজস্থান্ আদিশামি|
૧૭કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
18 ১৮ ছিন্নৎৱগ্ ভৃৎৱা য আহূতঃ স প্রকৃষ্টৎৱক্ ন ভৱতু, তদ্ৱদ্ অছিন্নৎৱগ্ ভূৎৱা য আহূতঃ স ছিন্নৎৱক্ ন ভৱতু|
૧૮શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
19 ১৯ ৎৱক্ছেদঃ সারো নহি তদ্ৱদৎৱক্ছেদোঽপি সারো নহি কিন্ত্ৱীশ্ৱরস্যাজ্ঞানাং পালনমেৱ|
૧૯સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
20 ২০ যো জনো যস্যামৱস্থাযামাহ্ৱাযি স তস্যামেৱাৱতিষ্ঠতাং|
૨૦દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
21 ২১ দাসঃ সন্ ৎৱং কিমাহূতোঽসি? তন্মা চিন্তয, তথাচ যদি স্ৱতন্ত্রো ভৱিতুং শক্নুযাস্তর্হি তদেৱ ৱৃণু|
૨૧શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.
22 ২২ যতঃ প্রভুনাহূতো যো দাসঃ স প্রভো র্মোচিতজনঃ| তদ্ৱদ্ তেনাহূতঃ স্ৱতন্ত্রো জনোঽপি খ্রীষ্টস্য দাস এৱ|
૨૨કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.
23 ২৩ যূযং মূল্যেন ক্রীতা অতো হেতো র্মানৱানাং দাসা মা ভৱত|
૨૩તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.
24 ২৪ হে ভ্রাতরো যস্যামৱস্থাযাং যস্যাহ্ৱানমভৱৎ তযা স ঈশ্ৱরস্য সাক্ষাৎ তিষ্ঠতু|
૨૪ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
25 ২৫ অপরম্ অকৃতৱিৱাহান্ জনান্ প্রতি প্রভোঃ কোঽপ্যাদেশো মযা ন লব্ধঃ কিন্তু প্রভোরনুকম্পযা ৱিশ্ৱাস্যো ভূতোঽহং যদ্ ভদ্রং মন্যে তদ্ ৱদামি|
૨૫હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
26 ২৬ ৱর্ত্তমানাৎ ক্লেশসমযাৎ মনুষ্যস্যানূঢৎৱং ভদ্রমিতি মযা বুধ্যতে|
૨૬તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.
27 ২৭ ৎৱং কিং যোষিতি নিবদ্ধোঽসি তর্হি মোচনং প্রাপ্তুং মা যতস্ৱ| কিং ৱা যোষিতো মুক্তোঽসি? তর্হি জাযাং মা গৱেষয|
૨૭શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
28 ২৮ ৱিৱাহং কুর্ৱ্ৱতা ৎৱযা কিমপি নাপারাধ্যতে তদ্ৱদ্ ৱ্যূহ্যমানযা যুৱত্যাপি কিমপি নাপরাধ্যতে তথাচ তাদৃশৌ দ্ৱৌ জনৌ শারীরিকং ক্লেশং লপ্স্যেতে কিন্তু যুষ্মান্ প্রতি মম করুণা ৱিদ্যতে|
૨૮જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
29 ২৯ হে ভ্রাতরোঽহমিদং ব্রৱীমি, ইতঃ পরং সমযোঽতীৱ সংক্ষিপ্তঃ,
૨૯ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
30 ৩০ অতঃ কৃতদারৈরকৃতদারৈরিৱ রুদদ্ভিশ্চারুদদ্ভিরিৱ সানন্দৈশ্চ নিরানন্দৈরিৱ ক্রেতৃভিশ্চাভাগিভিরিৱাচরিতৱ্যং
૩૦રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
31 ৩১ যে চ সংসারে চরন্তি তৈ র্নাতিচরিতৱ্যং যত ইহলেকস্য কৌতুকো ৱিচলতি|
૩૧અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
32 ৩২ কিন্তু যূযং যন্নিশ্চিন্তা ভৱেতেতি মম ৱাঞ্ছা| অকৃতৱিৱাহো জনো যথা প্রভুং পরিতোষযেৎ তথা প্রভুং চিন্তযতি,
૩૨પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
33 ৩৩ কিন্তু কৃতৱিৱাহো জনো যথা ভার্য্যাং পরিতোষযেৎ তথা সংসারং চিন্তযতি|
૩૩પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
34 ৩৪ তদ্ৱদ্ ঊঢযোষিতো ঽনূঢা ৱিশিষ্যতে| যানূঢা সা যথা কাযমনসোঃ পৱিত্রা ভৱেৎ তথা প্রভুং চিন্তযতি যা চোঢা সা যথা ভর্ত্তারং পরিতোষযেৎ তথা সংসারং চিন্তযতি|
૩૪તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
35 ৩৫ অহং যদ্ যুষ্মান্ মৃগবন্ধিন্যা পরিক্ষিপেযং তদর্থং নহি কিন্তু যূযং যদনিন্দিতা ভূৎৱা প্রভোঃ সেৱনেঽবাধম্ আসক্তা ভৱেত তদর্থমেতানি সর্ৱ্ৱাণি যুষ্মাকং হিতায মযা কথ্যন্তে|
૩૫પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
36 ৩৬ কস্যচিৎ কন্যাযাং যৌৱনপ্রাপ্তাযাং যদি স তস্যা অনূঢৎৱং নিন্দনীযং ৱিৱাহশ্চ সাধযিতৱ্য ইতি মন্যতে তর্হি যথাভিলাষং করোতু, এতেন কিমপি নাপরাৎস্যতি ৱিৱাহঃ ক্রিযতাং|
૩૬પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.
37 ৩৭ কিন্তু দুঃখেনাক্লিষ্টঃ কশ্চিৎ পিতা যদি স্থিরমনোগতঃ স্ৱমনোঽভিলাষসাধনে সমর্থশ্চ স্যাৎ মম কন্যা মযা রক্ষিতৱ্যেতি মনসি নিশ্চিনোতি চ তর্হি স ভদ্রং কর্ম্ম করোতি|
૩૭પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.
38 ৩৮ অতো যো ৱিৱাহং করোতি স ভদ্রং কর্ম্ম করোতি যশ্চ ৱিৱাহং ন করোতি স ভদ্রতরং কর্ম্ম করোতি|
૩૮એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.
39 ৩৯ যাৱৎকালং পতি র্জীৱতি তাৱদ্ ভার্য্যা ৱ্যৱস্থযা নিবদ্ধা তিষ্ঠতি কিন্তু পত্যৌ মহানিদ্রাং গতে সা মুক্তীভূয যমভিলষতি তেন সহ তস্যা ৱিৱাহো ভৱিতুং শক্নোতি, কিন্ত্ৱেতৎ কেৱলং প্রভুভক্তানাং মধ্যে|
૩૯પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
40 ৪০ তথাচ সা যদি নিষ্পতিকা তিষ্ঠতি তর্হি তস্যাঃ ক্ষেমং ভৱিষ্যতীতি মম ভাৱঃ| অপরম্ ঈশ্ৱরস্যাত্মা মমাপ্যন্ত র্ৱিদ্যত ইতি মযা বুধ্যতে|
૪૦પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.

< ১ করিন্থিনঃ 7 >