< નીતિવચનો 2 >

1 મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
Me ba, sɛ wutie me nsɛm, na woma me mmaransɛm tena wo mu a,
2 ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
sɛ wowɛn wʼaso ma nyansa na wode wo koma ma ntease,
3 જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
na woma wo nne so frɛ nhumu na wusu frɛ ntease,
4 જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
na sɛ wohwehwɛ no te sɛnea wohwehwɛ dwetɛ na wohwehwɛ no sɛnea worepɛ ademude a ahintaw a,
5 તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
ɛno na wobɛte Awurade suro ase na woahu Onyankopɔn ho nimdeɛ.
6 કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
Awurade ma nimdeɛ, na nʼanom na nyansa ne ntease fi ba.
7 તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.
Ɔkora nkonimdi ma wɔn a wɔteɛ, ɔyɛ kyɛm ma wɔn a wɔn akwan yɛ pɛ,
8 તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.
ɔwɛn nea ɔyɛ pɛ kwan, na ɔbɔ wɔn a wodi no nokware no akwan ho ban.
9 ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.
Ɛno na wobɛte nea eye ne nea ɛyɛ pɛ, ne nea ɛfata, ɔkwan biara a eye ase.
10 ૧૦ તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
Afei nyansa bewura wo koma mu, na nimdeɛ ayɛ ahomeka ama wo kra.
11 ૧૧ વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.
Adwene bɛbɔ wo ho ban na ntease ahwɛ wo so.
12 ૧૨ તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
Nyansa beyi wo afi amumɔyɛfo akwan mu, ebeyi wo afi nnipa a wɔn nsɛm yɛ basabasa nsam,
13 ૧૩ જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
wɔn a wɔaman afi akwan pa so akɔnantew sum akwan so no,
14 ૧૪ જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.
wɔn a wɔn ani gye bɔneyɛ ho, na wodi ahurusi wɔ bɔne mu basabasayɛ ho,
15 ૧૫ તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.
wɔn a wɔn akwan yɛ kɔntɔnkye na wɔyɛ abonsam wɔ wɔn akwan mu.
16 ૧૬ વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
Nimdeɛ begye wo afi ɔbea waresɛefo no nsam, afi ɔbea warefo huhuni a ɔka nnaadaasɛm ho,
17 ૧૭ તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
nea wagyaa ne mmabaabere mu kunu na wapo apam a ɔyɛɛ wɔ Onyankopɔn anim no.
18 ૧૮ કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
Ne fi yɛ ɔkwan a ɛkɔ owu mu na nʼakwan kɔ awufo honhom nkyɛn.
19 ૧૯ તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
Obiara a ɔkɔ ne nkyɛn no nsan mma anaasɛ ɔrensi nkwa akwan so.
20 ૨૦ તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
Enti wubedi nnipa pa anammɔn akyi na woanantew atreneefo akwan so.
21 ૨૧ કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.
Efisɛ wɔn a wɔteɛ bɛtena asase no so, na wɔn a asɛm nni wɔn ho no na wɔbɛka hɔ;
22 ૨૨ પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.
na wobetwa amumɔyɛfo afi asase no so, na wɔatɔre atorofo ase.

< નીતિવચનો 2 >