< ଜଅନ୍‌ 11 >

1 ବେତ୍‌ନିଆ ଗଡେ ଲାଜାର୍‌ ନାଉଁର୍‌ ଗଟେକ୍‌ ଲକ୍‌କେ ଜର୍‌ ଅଇରଇଲା । ମରିୟମ୍‌ ଆରି ତାର୍‌ ବଇନି ମାର୍‌ତା ସେ ଗାଏଁ ରଇଲାଇ ।
બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા.
2 ଏ ମରିୟମ୍‌ ଅଇଲାନି, ଜନ୍‌ ମାଇଜି କି ବେସି ଦାମ୍‌ଦେବା ବାସ୍‌ନା ଚିକନ୍‌ ଜିସୁର୍‌ ପାଦେ ରକଇକରି ତାର୍‌ ଚେଣ୍ଡିସଙ୍ଗ୍‌ ପୁଚିଦେଇରଇଲା । ତାର୍‌ ବାଇ ଲାଜାର୍‌କେ ଆକା ଜର୍‌ ଅଇରଇଲା ।
મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.
3 ସେଟାର୍‌ପାଇ ତାର୍‌ ବଇନିମନ୍‌ ଜିସୁର୍‌ ଲଗେ କବର୍‌ ପାଟାଇଲାଇ, “ମାପ୍‌ରୁ ତମେ ଜାକେ ଆଲାଦ୍‌ କଲାସ୍‌ନି, ସେ ବେସି ଜର୍‌ ଅଇଲାଆଚେ ।”
તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે.
4 ମାତର୍‌ ଜିସୁ ଏ କାତା ସୁନିକରି କଇଲା, “ଏ ଜର୍‌ ମର୍‌ବାପାଇ ଅଏ ନାଇ, ମାତର୍‌ ପର୍‌ମେସରର୍‌ ମଇମାର୍‌ ପାଇ । ସେଟାର୍‌ ଲାଗି, ତାର୍‌ ପଅ, ମୁଇ ମିସା ମଇମା ପାଇବି ।”
પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.
5 ଜିସୁ, ମାର୍‌ତା, ତାର୍‌ ବଇନି ଆରି ଲାଜାର୍‌କେ ବେସି ଆଲାଦ୍‌ କର୍‌ତେରଇଲା ।
માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.
6 ସେଟାର୍‌ପାଇ ଲାଜାର୍‌ ନିକ ନ ରଇବା କବର୍‌ ପାଇ ଜିସୁ ଜନ୍‌ ଜାଗାଇ ରଇଲା, ସେ ଜାଗାଇ ଆରି ଦୁଇଦିନ୍‌ ରଇଲା ।
તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા.
7 ତାର୍‌ ପଚେ ସେ ସିସ୍‌ମନ୍‌କେ କଇଲା, “ଆସା, ଆମେ ଆରିତରେକ୍‌ ଜିଉଦା ଦେସେ ବାଉଡି ଜୁ ।”
ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
8 ସିସ୍‌ମନ୍‌ ତାକେ କଇଲାଇ, “ଏ ଗୁରୁ, ତମ୍‌କେତା କେତେ ଦିନ୍‌ ଆଗେ, ଲକ୍‌ମନ୍‌ ପାକ୍‌ନା ସଙ୍ଗ୍‌ ମାର୍‌ବାକେ ଚେସ୍‌ଟା କର୍‌ତେରଇଲାଇ, ତମେ ଆରିତରେକ୍‌ ତେଇ ଜିବାକେ ମନ୍‌ କଲାସ୍‌ନି କି?”
શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’”
9 ଜିସୁ କ‍ଇଲା “ଗଟେକ୍‌ ଦିନେ କାଇ ବାର ଗଁଟା ଉଜଲ୍‌ ନ ରଏ କି? ଜନ୍‌ ଲକ୍‌ମନ୍‌ ଦିନ୍‌ବେଲାର୍‌ ଉଜ୍‌ଲେ ରଇବାଇ, ସେମନ୍‌ ଜଟିଆଇ ନ ଅଅତ୍‌, କାଇକେବଇଲେ ସେମନ୍‌କେ ଏ ଜଗତର୍‌ ଉଜଲ୍‌ ଡିସ୍‌ସି ।
ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
10 ୧୦ ମାତର୍‌ ରାତିଆ ଇଣ୍ଡ୍‌ଲେ ଜଟିଆଇ ଅଇବାଇ । କାଇକେବଇଲେ ସେମନର୍‌ଟାନେ ଉଜଲ୍‌ ନ ରଏ ।”
૧૦પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’”
11 ୧୧ ଜିସୁ ଏ ସବୁ କାତା କଇଲା ପଚେ, ସିସ୍‌ମନ୍‌କେ କଇଲା, “ଆମର୍‌ ସବୁଲକର୍‌ ମଇତର୍‌ ଲାଜାର୍‌ ଏବେ ସଇଆଚେ, ତାକେ ମୁଇ ଉଟାଇବାର୍‌ ଗାଲିନି ।”
૧૧તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”
12 ୧୨ ତେଇ ସିସ୍‌ମନ୍‌ ଜିସୁକେ କଇଲାଇ, “ମାପ୍‌ରୁ, ଜଦି ସେ ସଇଲାଆଚେ ବଇଲେ ନିକ ଅଇସି ।”
૧૨ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’”
13 ୧୩ ଜିସୁ ଲାଜାରର୍‌ ମରନ୍‌ ବିସଇ ନେଇକରି କଇରଇଲା, ମାତର୍‌ ସିସ୍‌ମନ୍‌ ଲାଜାର୍‌କେ ଗୁନର୍‌ଲାଗି ସଇଲା ବିସଇ କଇଲାନି ବଲି ବାବ୍‌ଲାଇ ।
૧૩ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.
14 ୧୪ ସେଟାର୍‌ପାଇ ଜିସୁ ସେମନ୍‌କେ ନିକ ସଙ୍ଗ୍‌ ବୁଜ୍‌ଲା ପାରା କଇଲା, “ଲାଜାର୍‌ ମରିଗାଲାଆଚେ ।
૧૪ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.
15 ୧୫ ଆରି ମୁଇ ତେଇ ନ ରଇଲି, ସେଟାର୍‌ପାଇ ତମର୍‌ ସଙ୍ଗ୍‌ ସାର୍‌ଦା କଲିନି, ଜେନ୍ତାରିକି ତମେ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ସା । ମାତର୍‌ ଆସା, ଏବେ ଆମେ ତାକେ ଜାଇ ଦେକୁ ।”
૧૫હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’”
16 ୧୬ ତେଇ ତମା ନାଉଁର୍‌ ଜାକେ କି ବିଦୁମ୍‌ ବଲି କଇବାଇ, ସେ ତାର୍‌ ସଙ୍ଗର୍‌ ସିସ୍‌ମନ୍‌କେ କଇଲା, “ଜୁ ଆମେ ମିସା ଗୁରୁର୍‌ ସଙ୍ଗ୍‌ ଜାଇ ତାର୍‌ସଙ୍ଗ୍‌ ମରୁ ।”
૧૬ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
17 ୧୭ ଜିସୁ ବେତ୍‌ନିଆଇ କେଟିକରି ସୁନ୍‌ଲା ଜେ ଲାଜାର୍‌କେ ସମାଦି ଦେଇ ଚାର୍‌ଦିନ୍‌ ଅଇରଇଲା ।
૧૭હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.
18 ୧୮ ଜିରୁସାଲାମ୍‌ ଅନି ବେତ୍‌ନିଆ ତିନ୍‌ କିଲମିଟର୍‌ ତେଇଅନି ଉନାର୍‌ ବାଟ୍‌ ।
૧૮હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.
19 ୧୯ ଆରି ଜିଉଦିମନର୍‌ ତେଇଅନି କେତେକ୍‌ କେତେକ୍‌ ଲକ୍‌ମନ୍‌ ମାର୍‌ତା ଆରି ମରିୟମ୍‌ ଲଗେ ତାର୍‌ ମରିଜାଇରଇବା ବାଇର୍‌ ବିସଇ ସାଁତାଇବାକେ ଆସିରଇଲାଇ ।
૧૯માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.
20 ୨୦ ଜିସୁ ଆଇଲାନି ବଲି ସୁନ୍‌ଲା ଦାପ୍‌ରେ ମାର୍‌ତା ତାକେ ବେଟ୍‌ଅଇବାର୍‌ ଗାଲା । ମାତର୍‌ ମରିୟମ୍‌ ଗରେସେ ବସିରଇଲା ।
૨૦ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
21 ୨୧ ମାର୍‌ତା ଜିସୁକେ କଇଲା, “ମାପ୍‌ରୁ ତମେ ଜଦି ଇତି ରଇତାସ୍‌ ବଇଲେ, ମର୍‌ ବାଇ ନ ମର୍‌ତା ।
૨૧ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.
22 ୨୨ ମାତର୍‌, ମୁଇ ଜାନି ଆଚି । ଏବେ ମିସା ତମେ ପର୍‌ମେସର୍‌କେ ଜାଇଟା ମାଙ୍ଗ୍‌ଲେ, ସେଟା ଦେଇସି ।”
૨૨પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’”
23 ୨୩ ଜିସୁ ତାକେ କଇଲା, “ତର୍‌ ବାଇ ଆରି ଜିବନ୍‌ ଅଇ ଉଟ୍‌ସି ।”
૨૩ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”
24 ୨୪ ମାର୍‌ତା ଜିସୁକେ କଇଲା, “ସେ ସାରାସାରି ଦିନେ ଆରିତରେକ୍‌ ଉଟ୍‌ବା ବେଲାଇ ଉଟ୍‌ସି, ଏଟା ମୁଇ ଜାନି ।”
૨૪માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’”
25 ୨୫ ଜିସୁ ତାକେ କଇଲା, “ମୁଇ ଜିବନ୍‌ ଆରି ମରିକରି ଆରିତରେକ୍‌ ଉଟ୍‌ବା ଲକ୍‌ । ଜେ ମକେ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ସି, ସେ ମଲେ ମିସା, ବଁଚ୍‌ସି ।
૨૫ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.
26 ୨୬ ଆରି ଜେ ଜଦି ବଁଚି ରଇକରି ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ସି, ସେ କେବେ ମିସା ନ ମରେ । ଏ କାତା ବିସ୍‌ବାସ୍‌ କଲାସ୍‌ନି କି?” (aiōn g165)
૨૬અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” (aiōn g165)
27 ୨୭ ମାର୍‌ତା ଜିସୁକେ କଇଲା, “ଉଁ ମାପ୍‌ରୁ, ମୁଇ ବିସ୍‌ବାସ୍‌ କଲିନି । ତମେ ସେ ପର୍‌ମେସରର୍‌ ପ । ଜନ୍‌ ମସିଅ ଏ ଜଗତେ ଆଇବାର୍‌ ରଇଲା, ତମେ ସେ ଆକା ।”
૨૭તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.
28 ୨୮ ଏ ସବୁ କାତା କଇସାର୍‌ଲାପଚେ ମାର୍‌ତା ଜାଇକରି ନିଜର୍‌ ବଇନିକେ କେ ନ ସୁନ୍‌ଲାପାରା ଡାକି କଇଲା, “ଆଉ ଗୁରୁ ଆସିଆଚେ ଆରି ତକେ ଡାକ୍‌ଲାନି ।”
૨૮એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’”
29 ୨୯ ମରିୟମ୍‌ ଏ କାତା ସୁନିକରି ଦାନ୍ଦା ପାନ୍ଦା ଅଇ ଜିସୁକେ ବେଟ୍‌ ଅଇବାର୍‌ ଗାଲା ।
૨૯એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.
30 ୩୦ ଜିସୁ ସେଡ୍‌କିବେଲା ଗାଉଁ ବିତ୍‌ରେ ଆସି ନ ରଇଲା, ମାତର୍‌ ମାର୍‌ତା ତାକେ ଜନ୍‌ ଜାଗାଇ ବେଟ୍‌ ଅଇରଇଲା, ତେଇସେ ରଇଲା ।
૩૦ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા.
31 ୩୧ ମରିୟମ୍‌ ଉଟିକରି ଦାନ୍ଦା ପାନ୍ଦା ଅଇ ବାଇରେ ସାଁତାଇବାକେ ଆସିରଇଲା ଲକ୍‌ମନ୍‌ ଦେକ୍‌ଲାଇ, ସେମନ୍‌ ମିସା ତାର୍‌ ପଚେ ପଚେ ଗାଲାଇ । ସେମନ୍‌ ବାବ୍‌ଲାଇ, ସେ କବର୍‌ ଲଗେ କାନ୍ଦ୍‌ବାର୍‌ ଗାଲାନି ।
૩૧ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા.
32 ୩୨ ତେଇ ଜିସୁ ଜନ୍‌ ଜାଗାଇରଇଲା, ମରିୟମ୍‌ ସେ ଜାଗାଇ କେଟ୍‌ଲା ଆରି ଜିସୁକେ ଦେକିକରି ତାର୍‌ ପାଦେ ଡାଣ୍ଡାସନ୍‌ ପଡି କଇଲା, “ମାପ୍‌ରୁ ତମେ ଜଦି ଇତି ରଇତାସ୍‌ଆଲେ ମର୍‌ ବାଇ ନ ମର୍‌ତା ।”
૩૨ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.
33 ୩୩ ମରିୟମ୍‌ ତାକେ ଆରି ତାର୍‌ ସଙ୍ଗ୍‌ ରଇବା ଲକ୍‌ମନ୍‌ କାନ୍ଦ୍‌ତେରଇବାଟା ଦେକି ଜିସୁ ଆତ୍‌ମାଇ ବେସି ମନ୍‌ଦୁକ୍‌ ଅଇଗାଲା ।
૩૩ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને,
34 ୩୪ ସେ ପାଚାର୍‌ଲା, “ତାକେ କନ୍ତି କବର୍‌ ଦେଇଆଚାସ୍‌?” ସେମନ୍‌ ତାକେ କଇଲାଇ, “ମାପ୍‌ରୁ ଆସିଦେକା ।”
૩૪પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ.
35 ୩୫ ଜିସୁ କାନ୍ଦ୍‌ଲା ।
૩૫ઈસુ રડ્યા.
36 ୩୬ ତେଇ ଜିଉଦି ଲକ୍‌ମନ୍‌ କଇଲାଇ, “ଦେକା, ସେ ଲାଜାର୍‌କେ କେନ୍ତି ଆଲାଦ୍‌ କର୍‌ତେରଇଲା ।”
૩૬એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!
37 ୩୭ ମାତର୍‌ ସେମନର୍‌ ବିତ୍‌ରେଅନି କେତେକ୍‌ ଲକ୍‌ କଇଲାଇ, “ଏ ଲକ୍‌ ଜନ୍‌ କାଣାକେ ଆଁକି ଡିସାଇରଇଲା, ସେ ମନ୍‌କଲେ କାଇ ଏ ଲାଜାରର୍‌ ମରନ୍‌ ମିସା ତେବାଇ ନାପାର୍‌ତା କି?”
૩૭પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”
38 ୩୮ ତେଇ ଆରିତରେକ୍‌ ଜିସୁ ମନ୍‌ ବିତ୍‌ରେ କିଲ୍‌ବିଲ୍‌ ଅଇ ସମାଦି ଲଗେ ଗାଲା । ସମାଦିଟାନେ ଗଟେକ୍‌ ପାଆର୍‌ ଆରି ପାଆର୍‌ ମୁଆଟେ ଗଟେକ୍‌ ବଡ୍‌ ପାକ୍‌ନା ଡାବିଅଇରଇଲା ।
૩૮ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.
39 ୩୯ ଜିସୁ ତିଆର୍‌ଲା, “ଏ ପାକ୍‌ନା ଗୁଚାଇଦିଆସ୍‌ ।” ମରିଜାଉ ଲାଜାରର୍‌ ବଇନି ମାର୍‌ତା କଇଲା, “ମାପ୍‌ରୁ ସେଟା କୁଇକରି ଗନ୍ଦି ଗାଲାବେ, କାଇକେବଇଲେ, ତାକେ କବର୍‌ଦେଇ ଚାର୍‌ଦିନ୍‌ ଅଇଗାଲା ।”
૩૯ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’”
40 ୪୦ ଜିସୁ ମାର୍‌ତାକେ କଇଲା, “ତୁଇ ଜଦି ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ସୁ ବଇଲେ ପର୍‌ମେସରର୍‌ ମଇମା ଦେକ୍‌ସୁ ବଲି ମୁଇ ତକେ କଇ ନ ର‍ଇଲି କି?”
૪૦ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”
41 ୪୧ ତେଇ ସେମନ୍‌ ପାକ୍‌ନା ଗୁଚାଇଲାଇ । ଜିସୁ ସରଗ୍‌ବାଟେ ମୁ କରି କଇଲା, “ବାବା ତମେ ମର୍‌ ପାର୍‌ତନା ସୁନ୍‌ଲାସ୍‌ ବଲି ମୁଇ ତମ୍‌କେ ଦନିଅବାଦ୍‌ ଦେଲିନି ।
૪૧ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.
42 ୪୨ ତମେ ଜେଡେବେଲେ ମିସା ମର୍‌ ପାର୍‌ତନା ସୁନ୍‌ସା, ଏଟା ମୁଇ ଜାନି, ମାତର୍‌ ଜନ୍‌ ଲକ୍‌ମନ୍‌ ଏ ଚାରିବେଡ୍‌ତି ଟିଆଅଇ ଆଚତ୍‌, ସେମନ୍‌ ଜେନ୍ତିକି ତମେଆକା ମକେ ପାଟାଇଆଚାସ୍‌ ବଲି ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ବାଇ, ଏଟାର୍‌ ପାଇ ମୁଇ ଏନ୍ତିବଲି କଇଲି ।”
૪૨તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”
43 ୪୩ ଏନ୍ତି କଇ ସାରାଇ ଜିସୁ ଆକ୍‌ମାରି ଡାକ୍‌ଲା, “ଲାଜାର୍‌ ତୁଇ ବାରଇ ଆଉ ।”
૪૩એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’”
44 ୪୪ ଡାକ୍‌ଲା ଦାପ୍‌ରେ ମଲା ଲାଜାର୍‌ ବାରଇ ଆଇଲା । ତାର୍‌ ଆତେ ଗଡେ ମଡା ଲୁଗା ବାନ୍ଦାଅଇରଇଲା । ମୁଏ ମିସା ଗର୍‌ଣ୍ଡା ଗୁଡିଆଇ ଅଇରଇଲା । ଜିସୁ ସେମନ୍‌କେ କଇଲା “ତାକେ ବାନ୍ଦ୍‌ଲାଟା କୁସ୍‌ଲାଇ କରି, ଜିବାକେ ଦିଆସ୍‌ ।”
૪૪ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
45 ୪୫ ଜିଉଦି ଲକ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେଅନି, ବେସି ଲକ୍‌ ମରିୟମର୍‌ ଲଗେ ଆସିରଇଲାଇ, ଆରି ଜିସୁର୍‌ ଏ କାମ୍‌ ଦେକି, ତାକେ ବିସ୍‌ବାସ୍‌ କଲାଇ ।
૪૫તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
46 ୪୬ ଆରି ସେମନର୍‌ ବିତ୍‌ରେଅନି କେତେଲକ୍‌ ପାରୁସିମନର୍‌ ଲଗେ ଜାଇକରି ଜିସୁ କରି ରଇବା କାମ୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ଜାନାଇଲାଇ ।
૪૬પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.
47 ୪୭ ପଚେ ମୁକିଅ ପୁଜାରିମନ୍‌ ଆରି ପାରୁସିମନ୍‌ ଗଟେକ୍‌ ବଡ୍‌ ପଁଚାଦି ଡାକାଇ କଇଲାଇ, “ଆମେ କାଇଟା କରୁ? ଦେକା ଏ ଲକ୍‌ ତା କେତେକ୍‌ କେତେକ୍‌ କାବାଅଇଜିବା କାମ୍‌ମନ୍‌ କଲାନି ।
૪૭એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે.
48 ୪୮ ଆମେ ଜଦି ଆକେ ଏନ୍ତାରି ଚାଡିଦେଉଁ ବଇଲେ ସବୁଲକ୍‌ ତାର୍‌ଟାନେ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ବାଇ ଆରି ରମିୟ ଅଦିକାରି ଆସିକରି ଆମର୍‌ ଏ ମନ୍ଦିର୍‌ ଆରି ଆମର୍‌ ବିସ୍‌ବାସ୍‌ କର୍‌ବା ଦରମ୍‌ ସବୁ କୁରୁପ୍‌ନାସ୍‌ କରିପାକାଇସି ।”
૪૮જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.
49 ୪୯ ମାତର୍‌ ସେମନର୍‌ ବିତ୍‌ରେଅନି ଗଟେକ୍‌ କୟାପା ନାଉଁର୍‌, ସେ ବରସର୍‌ ପାଇ ବାଚିରଇବା ବଡ୍‌ ପୁଜାରି, କଇଲା “ତମେ କେତେ ବକୁଆ ଲକ୍‌ମନ୍‌!
૪૯પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી,
50 ୫୦ ତମେ କାଇ ବୁଜି ନାପାର୍‌ଲାସ୍‌ନି? ଗୁଲାଇ ଜାତି ନାସ୍‌ ଅଇବା ବାଦୁଲେ ଗଟେକ୍‌ ଲକ୍‌ ମର୍‌ବାଟା ନିକ ।”
૫૦વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”
51 ୫୧ କୟାପା ସତ‍ଇସେ ତାର୍‌ ନିଜର୍‌ଟାନେ ଅନି ଏନ୍ତି କଇ ନ ରଇଲା, ମାତର୍‌ ସେ ବରସର୍‌ ବଡ୍‌ ପୁଜାରି ଅଇରଇଲାର୍‌ ଲାଗି ପଚର୍‌ ଗଟ୍‍ନା ସବୁ ବବିସତ୍‌କାତା ତାର୍‌ ମୁଏଁ ଅନି ବାରଇରଇଲା । ସେ ଜାନିଦେଇ ରଇଲା ଜେ,
૫૧તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે.
52 ୫୨ ଚିନ୍‌ ଚତର୍‌ ଅଇଜାଇରଇବା ପର୍‌ମେସରର୍‌ ଲକ୍‌ମନ୍‌କେ ଟୁଲିଆଇ, ଗଟେକ୍‌ କୁଟୁମ୍‌ କରାଇବାକେ ଜିସୁ ମର୍‌ବାକେ ଗାଲାନି ।
૫૨અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે.
53 ୫୩ ତେବର୍‌ପାଇ ସେ ଦିନେଅନି ଜିଉଦିନେତାମନ୍‌ ଜିସୁକେ ମରାଇବାକେ ପାଁଚ୍‌ନା କଲାଇ ।
૫૩તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.
54 ୫୪ ତେବେ ଜିସୁ ଜିଉଦି ଲକ୍‌ମନର୍‌ ବିତ୍‌ରେ ସବୁଲକ୍‌ ଜାନ୍‌ଲା ପାରା ବୁଲାଚାଲା ନ କର୍‌ତେ ରଇଲା । ସେ ଜାଗାଇଅନି ବାରଇଜାଇକରି, ମରୁବାଲି ବୁଏଁ ରଇବା କିନରା ଜାଗାଇ ରଇଲା ଏପ୍‌ରଇମ୍‌ ନାଉଁର୍‌ ଗଟେକ୍‌ ଗଡେ ଜାଇ ସିସ୍‌ମନର୍‌ ସଙ୍ଗ୍‌ ତେଇ ରଇଲା ।
૫૪તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં.
55 ୫୫ ଜିଉଦିମନର୍‌ ନିସ୍‌ତାର୍‌ ପରବ୍‌ କେଟିଆଇଲା । ସେ ପରବ୍‌ ଅଇବା ଆଗ୍‌ତୁ ନିଜେ ନିଜେ ସୁକଲ୍‌ ଅଇବାକେ ଗୁଲାଇ ରାଇଜର୍‌ ଲକ୍‌ମନ୍‌ ନିସ୍‌ତାର୍‌ ପରବ୍‌ ଆଗ୍‌ତୁ ଜିରୁସାଲାମ୍‌ ଜିବାକେ ବାଟ୍‍ଦାର୍‌ଲାଇ ।
૫૫હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.
56 ୫୬ ସେମନ୍‌ ଜିସୁକେ କଜ୍‌ଲାଇ ଆରି ମନ୍ଦିର୍‌ ଟିଆଅଇଲାବେଲେ ତାକର୍‌ ତାକର୍‌ ବିତ୍‌ରେ କୁଆବଲା ଅଇଲାଇ, “ସେ ପରବ୍‌ଟାନେ ନ ଆସେବଲି କାଇ ତମେ ବାବ୍‌ଲାସ୍‌ନି କି?”
૫૬માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’”
57 ୫୭ ମୁକିଅ ପୁଜାରି ଆରି ପାରୁସି ଲକ୍‌ମନ୍‌ ଜିସୁକେ ଦାର୍‌ବାକେ ସେ କନ୍ତି ଆଚେ ଜାନିରଇବାଇ ବଲି, ସେଟା ଆଦେସ୍‌ ଦେଇରଇଲାଇ ।
૫૭હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.

< ଜଅନ୍‌ 11 >