< ⲚⲒⲢⲰⳘⲈⲞⲤ 1 >

1 ⲁ̅ ⲠⲀⲨⲖⲞⲤ ⲪⲂⲰⲔ ⲚⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲠⲀⲠⲞⲤⲦⲞⲖⲞⲤ ⲈⲦⲐⲀϨⲈⲘ.
પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે
2 ⲃ̅ ⲪⲎ ⲈⲦⲀⲨⲐⲀϢϤ ⲈⲠⲒϨⲒϢⲈⲚⲚⲞⲨϤⲒ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲪⲎ ⲈⲦⲀϤⲈⲢϢⲞⲢⲠ ⲚⲰϢ ⲘⲘⲞϤ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲞⲦⲞⲨ ⲚⲚⲈϤⲠⲢⲞⲪⲎⲦⲎⲤ ϦⲈⲚⲚⲒⲄⲢⲀⲪⲎ ⲈⲐⲞⲨⲀⲂ
જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું;
3 ⲅ̅ ⲈⲐⲂⲈ ⲠⲈϤϢⲎⲢⲒ ⲪⲎ ⲈⲦⲀϤϢⲰⲠⲒ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠϪⲢⲞϪ ⲚⲆⲀⲨⲒⲆ ⲔⲀⲦⲀ ⲤⲀⲢⲜ.
તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.
4 ⲇ̅ ⲠϢⲎⲢⲒ ⲘⲪⲚⲞⲨϮ ⲈⲦⲐⲎϢ ϦⲈⲚⲞⲨϪⲞⲘ ⲔⲀⲦⲀ ⲞⲨⲠⲚⲈⲨⲘⲀⲈϤⲞⲨⲀⲂ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲦⲰⲚϤ ⲚⲚⲒⲢⲈϤⲘⲰⲞⲨⲦ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲠⲈⲚϬⲞⲒⲤ.
પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે.
5 ⲉ̅ ⲪⲎ ⲈⲦⲀⲚϬⲒ ⲚⲞⲨϨⲘⲞⲦ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲞⲦϤ ⲚⲈⲘ ⲞⲨⲘⲈⲦⲀⲠⲞⲤⲦⲞⲖⲞⲤ ⲈⲨⲤⲰⲦⲈⲘ ⲚⲦⲈⲪⲚⲀϨϮ ϦⲈⲚⲚⲒⲈⲐⲚⲞⲤ ⲦⲎⲢⲞⲨ ⲈϨⲢⲎⲒ ⲈϪⲈⲚ ⲠⲈϤⲢⲀⲚ
સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ;
6 ⲋ̅ ⲚⲎ ⲈⲦⲈⲦⲈⲚⲚϨⲢⲎⲒ ⲚϦⲎⲦⲞⲨ ϨⲰⲦⲈⲚ ⲚⲎ ⲈⲦⲐⲀϨⲈⲘ ⲚⲦⲈⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲤ
અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.
7 ⲍ̅ ⲚⲞⲨⲞⲚ ⲚⲒⲂⲈⲚ ⲈⲦϢⲞⲠ ϦⲈⲚⲢⲰⲘⲎ ⲚⲒⲘⲈⲚⲢⲀϮ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲈⲦⲐⲀϨⲈⲘ ⲈⲐⲞⲨⲀⲂ ⲠϨⲘⲞⲦ ⲚⲰⲦⲈⲚ ⲚⲈⲘ ⲦϨⲒⲢⲎⲚⲎ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲠⲈⲚⲒⲰⲦ ⲚⲈⲘ ⲠⲈⲚϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ.
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
8 ⲏ̅ ⲚϢⲞⲢⲠ ⲘⲈⲚ ϮϢⲈⲠϨⲘⲞⲦ ⲚⲦⲈⲠⲀⲚⲞⲨϮ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲈϨⲢⲎⲒ ⲈϪⲈⲚ ⲐⲎⲚⲞⲨ ⲦⲎⲢⲞⲨ ϪⲈ ⲠⲈⲦⲈⲚⲚⲀϨϮ ⲤⲈϨⲒⲰⲒϢ ⲘⲘⲞϤ ϦⲈⲚⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲦⲎⲢϤ.
પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
9 ⲑ̅ ⲠⲀⲘⲈⲐⲢⲈ ⲄⲀⲢ ⲠⲈ ⲪⲚⲞⲨϮ ⲪⲎ ⲈϮϢⲈⲘϢⲒ ⲘⲘⲞϤ ϦⲈⲚⲠⲀⲠⲚⲈⲨⲘⲀϦⲈⲚⲠⲒⲈⲨⲀⲄⲄⲈⲖⲒⲞⲚ ⲚⲦⲈⲠⲈϤϢⲎⲢⲒ ϨⲰⲤ ⲚϮⲬⲰ ⲚⲦⲞⲦ ⲀⲚ ⲈⲒⲒⲢⲒ ⲘⲠⲈⲦⲈⲚⲘⲈⲨⲒ
કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું
10 ⲓ̅ ⲚⲤⲎⲞⲨ ⲚⲒⲂⲈⲚ ϦⲈⲚⲚⲀⲠⲢⲞⲤⲈⲨⲬⲎ ⲈⲒⲦⲰⲂϨ ϪⲈ ⲀⲢⲎⲞⲨ ⲚⲦⲈⲠⲀⲘⲰⲒⲦ ⲤⲞⲂϮ ϦⲈⲚⲠⲒⲞⲨⲰϢ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲈⲒ ϨⲀⲢⲰⲦⲈⲚ.
૧૦અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.
11 ⲓ̅ⲁ̅ ϮⲞⲨⲰϢ ⲄⲀⲢ ⲈⲚⲀⲨ ⲈⲢⲰⲦⲈⲚ ϨⲒⲚⲀ ⲚⲦⲀϮ ⲚⲰⲦⲈⲚ ⲚⲞⲨϨⲘⲞⲦ ⲘⲠⲚⲀⲦⲒⲔⲞⲚ ⲈⲠϪⲒⲚⲦⲀϪⲢⲈ ⲐⲎⲚⲞⲨ.
૧૧કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું;
12 ⲓ̅ⲃ̅ ⲈⲦⲈ ⲪⲀⲒ ⲠⲈ ⲈⲈⲢϢⲪⲎⲢ ⲚⲦⲀϪⲢⲞ ⲚϨⲎ ⲦϦⲈⲚ ⲐⲎⲚⲞⲨ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲠⲒⲚⲀϨϮ ⲪⲎ ⲈⲦϢⲞⲠ ⲚϦⲎⲦⲈⲚ ⲚⲈⲘ ⲚⲈⲚⲈⲢⲎⲞⲨ ⲪⲰⲦⲈⲚ ⲚⲈⲘ ⲪⲰⲒ ϨⲰ.
૧૨એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.
13 ⲓ̅ⲅ̅ ϮⲞⲨⲈϢ ⲐⲎⲚⲞⲨ ⲆⲈ ⲀⲚ ⲈⲢⲈⲦⲈⲚⲞⲒ ⲚⲀⲦⲈⲘⲒ ⲚⲀⲤⲚⲎⲞⲨ ϪⲈ ⲒⲤ ⲞⲨⲘⲎϢ ⲚⲤⲞⲠ ϮⲤⲞⲂϮ ⲘⲘⲞⲒ ⲈⲒ ϨⲀⲢⲰⲦⲈⲚ ⲞⲨⲞϨ ⲀⲨⲦⲀϨⲚⲞ ⲘⲘⲞⲒ ϢⲀ ⲈϦⲞⲨⲚ ⲈϮⲚⲞⲨ ϨⲒⲚⲀ ⲚⲦⲀϬⲒ ⲚⲞⲨⲞⲨⲦⲀϨ ϦⲈⲚⲐⲎⲚⲞⲨ ϨⲰⲦⲈⲚ ⲔⲀⲦⲀ ⲪⲢⲎϮ ⲘⲠⲤⲰϪⲠ ⲚⲚⲒⲔⲈⲈⲐⲚⲞⲤ.
૧૩હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે.
14 ⲓ̅ⲇ̅ ⲚⲒⲞⲨⲈⲒⲚⲒⲚ ⲚⲈⲘ ⲚⲒⲂⲀⲢⲂⲀⲢⲞⲤ ⲚⲒⲤⲀⲂⲈⲨ ⲚⲈⲘ ⲚⲒⲀⲦϨⲎⲦ ⲞⲨⲞⲚ ⲈⲢⲞⲒ
૧૪ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું.
15 ⲓ̅ⲉ̅ ⲠⲀⲒⲢⲎϮ ⲠⲈ ⲠⲀⲢⲰⲞⲨⲦϤ ⲈⲦϢⲞⲠ ⲘⲘⲞⲒ ⲈϨⲒϢⲈⲚⲚⲞⲨϤⲒ ⲚⲰⲦⲈⲚ ϨⲰⲦⲈⲚ ϦⲀ ⲚⲎ ⲈⲦϢⲞⲠ ϦⲈⲚⲢⲰⲘⲎ.
૧૫તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.
16 ⲓ̅ⲋ̅ ϮϢⲒⲠⲒ ⲄⲀⲢ ⲀⲚ ϦⲈⲚⲠⲒⲈⲨⲀⲄⲄⲈⲖⲒⲞⲚ ⲞⲨϪⲞⲘ ⲄⲀⲢ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲠⲈ ⲈⲨⲚⲞϨⲈⲘ ⲚⲞⲨⲞⲚ ⲚⲒⲂⲈⲚ ⲈⲐⲚⲀϨϮ ⲠⲒⲒⲞⲨⲆⲀⲒ ⲚϢⲞⲢⲠ ⲚⲈⲘ ⲠⲒⲞⲨⲈⲒⲚⲒⲚ.
૧૬ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે.
17 ⲓ̅ⲍ̅ ⲞⲨⲘⲈⲐⲘⲎⲒ ⲄⲀⲢ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲠⲈⲐⲚⲀϬⲰⲢⲠ ⲈⲂⲞⲖ ⲚϦⲎⲦϤ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲞⲨⲚⲀϨϮ ⲈⲨⲚⲀϨϮ ⲔⲀⲦⲀ ⲪⲢⲎϮ ⲈⲦⲤϦⲎⲞⲨⲦ ϪⲈ ⲠⲒⲐⲘⲎ ⲒϤⲚⲀⲰⲚϦ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲪⲚⲀϨϮ.
૧૭કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
18 ⲓ̅ⲏ̅ ⲠⲒϪⲰⲚⲦ ⲄⲀⲢ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ϤⲚⲀϬⲰⲢⲠ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲦⲪⲈ ⲈϨⲢⲎⲒ ⲈϪⲈⲚ ⲘⲈⲦⲀⲤⲈⲂⲎⲤ ⲚⲒⲂⲈⲚ ⲚⲈⲘ ⲐⲘⲈⲦϬⲒⲚϪⲞⲚⲤ ⲚⲦⲈⲚⲒⲢⲰⲘⲒ ⲚⲎ ⲈⲦⲀⲘⲞⲚⲒ ⲚϮⲘⲈⲐⲘⲎⲒ ϦⲈⲚϮⲘⲈⲦⲢⲈϤϬⲒⲚϪⲞⲚⲤ
૧૮કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
19 ⲓ̅ⲑ̅ ϪⲈ ⲠⲒⲈⲘⲒ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ϤⲞⲨⲰⲚϨ ⲈⲂⲞⲖ ⲚϦⲢⲎⲒ ⲚϦⲎⲦⲞⲨ ⲪⲚⲞⲨϮ ⲄⲀⲢ ⲀϤⲞⲨⲞⲚϨϤ ⲈⲢⲰⲞⲨ.
૧૯કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.
20 ⲕ̅ ⲚⲒⲀⲐⲚⲀⲨ ⲈⲢⲰⲞⲨ ⲚⲦⲀϤ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲤⲰⲚⲦ ⲘⲠⲒⲔⲞⲤⲘⲞⲤ ⲚϦⲢⲎⲒ ϦⲈⲚⲚⲈϤⲐⲀⲘⲒⲞ ⲈⲨⲔⲀϮ ⲈⲢⲰⲞⲨ ⲤⲈⲚⲀⲨ ⲈⲢⲰⲞⲨ ⲈⲦⲈ ⲦⲈϤϪⲞⲘ ⲚⲈⲚⲈϨ ⲦⲈ ⲚⲈⲘ ⲦⲈϤⲘⲈⲐⲚⲞⲨϮ ⲈⲠϪⲒⲚⲦⲞⲨϢⲰⲠⲒ ⲚⲀⲦⲖⲰⲒϪⲒ ⲚⲀⲦⲈⲢⲞⲨⲰ. (aïdios g126)
૨૦તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. (aïdios g126)
21 ⲕ̅ⲁ̅ ϪⲈ ⲈⲦⲀⲨⲤⲞⲨⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲘⲠⲞⲨϮⲰⲞⲨ ⲚⲀϤ ϨⲰⲤ ⲚⲞⲨϮ ⲞⲨⲆⲈ ⲘⲠⲞⲨϢⲈⲠϨⲘⲞⲦ ⲚⲦⲞⲦϤ ⲀⲖⲖⲀ ⲀⲨⲈⲢⲈⲪⲖⲎⲞⲨ ϦⲈⲚⲚⲞⲨⲘⲞⲔⲘⲈⲔ ⲞⲨⲞϨ ⲀϤⲈⲢⲬⲀⲔⲒ ⲚϪⲈⲠⲞⲨⲀⲦⲔⲀϮ ⲚϨⲎⲦ.
૨૧કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.
22 ⲕ̅ⲃ̅ ⲈⲨϪⲰ ⲘⲘⲞⲤ ϪⲈ ϨⲀⲚⲤⲀⲂⲈⲨ ⲚⲈⲀⲨⲈⲢⲤⲞϪ.
૨૨પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા;
23 ⲕ̅ⲅ̅ ⲞⲨⲞϨ ⲀⲨϢⲈⲂⲒⲈ ⲠⲒⲰⲞⲨ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲈⲦⲈ ⲘⲠⲈϤⲦⲀⲔⲞ ϦⲈⲚⲞⲨⲒⲚⲒ ⲚⲦⲈⲞⲨϨⲒⲔⲰⲚ ⲚⲢⲰⲘⲒ ⲈϢⲀϤⲦⲀⲔⲞ ⲚⲈⲘ ϨⲀⲚϨⲀⲖⲀϮ ⲚⲈⲘ ϨⲀⲚⲦⲈⲂⲚⲰⲞⲨⲒ ⲚⲈⲘ ϨⲀⲚϬⲀⲦϤⲒ.
૨૩તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.
24 ⲕ̅ⲇ̅ ⲈⲐⲂⲈ ⲪⲀⲒ ⲀϤⲦⲎⲒⲦⲞⲨ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ⲈϦⲢⲎⲒ ϦⲈⲚⲚⲒⲈⲠⲒⲐⲨⲘⲒⲀ ⲚⲦⲈⲠⲞⲨϨⲎⲦ ⲈⲠϬⲰϦⲈⲘ ⲈⲠϪⲒⲚⲐⲢⲞⲨϢⲰϢ ⲚϪⲈⲚⲞⲨⲤⲰⲘⲀ ⲚϦⲢⲎ ⲒⲚϦⲎⲦⲞⲨ.
૨૪તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે ત્યજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
25 ⲕ̅ⲉ̅ ⲚⲎ ⲈⲦⲀⲨϢⲒⲂϮ ⲚϮⲘⲈⲐⲘⲎⲒ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ϦⲈⲚϮⲘⲈⲐⲚⲞⲨϪ ⲞⲨⲞϨ ⲀⲨⲞⲨⲰϢⲦ ⲞⲨⲞϨ ⲀⲨϢⲈⲘϢⲒ ⲘⲠⲒⲤⲰⲚⲦ ⲠⲀⲢⲀ ⲪⲎ ⲈⲦⲀϤⲤⲰⲚⲦ ⲈⲦⲈ ⲪⲀⲒ ⲠⲈ ⲪⲎ ⲈⲦⲤⲘⲀⲢⲰⲞⲨⲦ ϢⲀ ⲚⲒⲈⲚⲈϨ ⲀⲘⲎⲚ. (aiōn g165)
૨૫કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી. (aiōn g165)
26 ⲕ̅ⲋ̅ ⲈⲐⲂⲈ ⲪⲀⲒ ⲀϤⲦⲎⲒⲦⲞⲨ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ⲈϦⲢⲎ ⲒⲈϨⲀⲚⲠⲀⲐⲞⲤ ⲚϢⲰϢ ⲚⲞⲨϨⲒⲞⲘⲒ ⲄⲀⲢ ⲀⲨϢⲈⲂⲒⲈ ⲦⲞⲨⲪⲨⲤⲒⲔⲎ ⲚⲬⲢⲎⲤⲒⲤ ⲈϦⲢⲎⲒ ⲈⲨⲠⲀⲢⲀ ⲪⲨⲤⲒⲤ.
૨૬તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.
27 ⲕ̅ⲍ̅ ⲠⲀⲒⲢⲎϮ ⲞⲚ ⲚⲒⲔⲈϨⲰⲞⲨⲦ ⲀⲨⲬⲰ ⲚⲤⲰⲞⲨ ⲚϮⲪⲨⲤⲒⲔⲎ ⲚⲬⲢⲎⲤⲒⲤ ⲚⲦⲈϮⲤϨⲒⲘⲒ ⲀⲨⲢⲰⲔϨ ϦⲈⲚⲠⲞⲨⲞⲨⲰϢ ⲈⲚⲞⲨⲈⲢⲎⲞⲨ ϨⲀⲚϨⲰⲞⲨⲦ ϦⲈⲚϨⲀⲚϨⲰⲞⲨⲦ ⲈⲨⲈⲢϨⲰⲂ ⲈⲠϢⲒⲠⲒ ⲈⲨⲈϬⲒ ⲈⲠϢⲈⲂⲒⲈ ⲂⲈⲬⲈ ⲈⲦⲤϢⲈ ⲚⲦⲈⲦⲞⲨⲠⲖⲀⲚⲎ ⲚϦⲢⲎⲒ ⲚϦⲎⲦⲞⲨ ⲘⲘⲒⲚ ⲘⲘⲰⲞⲨ.
૨૭અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.
28 ⲕ̅ⲏ̅ ⲞⲨⲞϨ ⲔⲀⲦⲀ ⲪⲢⲎϮ ⲈⲦⲈ ⲘⲠⲞⲨⲈⲢⲆⲞⲔⲒⲘⲀⲌⲒⲚ ⲈⲬⲀ ⲪⲚⲞⲨϮ ⲚⲦⲞⲦⲞⲨ ϦⲈⲚⲞⲨⲈⲘⲒ ⲀϤⲦⲎⲒⲦⲞⲨ ⲚϪⲈⲪⲚⲞⲨϮ ⲈϦⲢⲎⲒ ⲈⲞⲨϨⲎⲦ ⲚⲀⲆⲞⲔⲒⲘⲞⲤ ⲈⲐⲢⲞⲨⲒⲢⲒ ⲚⲚⲎ ⲈⲦⲤϢⲈ ⲚⲀⲒⲦⲞⲨ ⲀⲚ.
૨૮અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.
29 ⲕ̅ⲑ̅ ⲈⲨⲘⲈϨ ⲚⲀⲆⲒⲔⲒⲀ ⲚⲒⲂⲈⲚ ⲚⲈⲘ ⲔⲀⲔⲒⲀ ⲚⲈⲘ ⲠⲞⲚⲎⲢⲒⲀ ⲚⲈⲘ ⲘⲈⲦϬⲒⲚϪⲞⲚⲤ ⲈⲨⲘⲈϨ ⲚⲪⲐⲞⲚⲞⲤ ϨⲒ ϦⲰⲦⲈⲂ ⲚⲈⲘ ϢϬⲚⲎⲚ ⲚⲈⲘ ⲬⲢⲞϤ ⲚⲈⲘ ⲘⲈⲨⲒ ⲈϤϨⲰⲞⲨ.
૨૯તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા,
30 ⲗ̅ ⲈⲨⲞⲒ ⲚⲢⲈϤⲬⲀⲤⲔⲈⲤ ⲚⲢⲈϤⲈⲢⲔⲀⲦⲀⲖⲀⲖⲒⲚ ⲘⲘⲀⲤⲦⲈ ⲚⲞⲨϮ ⲚⲢⲈϤϮϢⲰϢ ⲚϬⲀⲤⲒϨⲎⲦ ⲚⲢⲈϤϨⲒⲠϨⲞ ⲚⲢⲈϤϪⲒⲘⲒ ⲚⲚⲒⲠⲈⲦϨⲰⲞⲨ ⲚⲀⲦⲤⲰⲦⲈⲘ ⲚⲤⲀⲚⲞⲨⲒⲞϮ.
૩૦નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત,
31 ⲗ̅ⲁ̅ ⲚⲀⲦⲔⲀϮ ⲚⲀⲦϮⲘⲀϮ ⲚⲀⲦϢⲈⲚϨⲎⲦ ⲚⲀⲦⲚⲀⲒ
૩૧બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.
32 ⲗ̅ⲃ̅ ⲚⲎ ⲈⲦⲤⲰⲞⲨⲚ ⲚϮⲘⲈⲐⲘⲎⲒ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ϪⲈ ⲚⲎ ⲈⲦⲒⲢⲒ ⲚⲚⲀⲒ ⲘⲠⲀⲒⲢⲎϮ ⲤⲈⲘⲠϢⲀ ⲘⲪⲘⲞⲨ ⲞⲨ ⲘⲞⲚⲞⲚ ϪⲈ ⲤⲈⲒⲢⲒ ⲘⲘⲰⲞⲨ ⲀⲖⲖⲀ ⲤⲈϮⲘⲀϮ ⲞⲚ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲦⲒⲢⲒ ⲘⲘⲰⲞⲨ.
૩૨‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.

< ⲚⲒⲢⲰⳘⲈⲞⲤ 1 >