< ⲒⲰⲀⲚⲚⲎⲤ Ⲁ ̅ 1 >

1 ⲁ̅ ⲪⲎ ⲈⲦϢⲞⲠ ⲒⲤϪⲈⲚ ϨⲎ ⲪⲎ ⲈⲦⲀⲚⲤⲞⲐⲘⲈϤ ⲪⲎ ⲈⲦⲀⲚⲚⲀⲨ ⲈⲢⲞϤ ⲚⲚⲈⲚⲂⲀⲖ ⲪⲎ ⲈⲦⲀⲚⲤⲞⲘⲤ ⲈⲢⲞϤ ⲞⲨⲞϨ ⲀⲚⲈⲚϪⲒϪ ϪⲈⲘϪⲰⲘϤ ⲈⲐⲂⲈ ⲠⲒⲤⲀϪⲒ ⲚⲦⲈⲠⲰⲚϦ
જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.
2 ⲃ̅ ⲞⲨⲞϨ ⲠⲒⲰⲚϦ ⲀϤⲞⲨⲞⲚϨ ⲈⲂⲞⲖ ⲞⲨⲞϨ ⲀⲚⲚⲀⲨ ⲈⲢⲞϤ ⲞⲨⲞϨ ⲦⲈⲚⲈⲢⲘⲈⲐⲢⲈ ⲞⲨⲞϨ ⲦⲈⲚⲦⲀⲘⲞ ⲘⲘⲰⲦⲈⲚ ⲈⲠⲒⲰⲚϦ ⲚⲈⲚⲈϨ ⲪⲎ ⲈⲦϢⲞⲠ ϨⲀ ⲪⲒⲰⲦ ⲞⲨⲞϨ ⲀϤⲞⲨⲞⲚϨ ⲈⲢⲞⲚ (aiōnios g166)
તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. (aiōnios g166)
3 ⲅ̅ ⲪⲎ ⲈⲦⲀⲚⲚⲀⲨ ⲈⲢⲞϤ ⲞⲨⲞϨ ⲀⲚⲤⲞⲐⲘⲈϤ ⲦⲈⲚϨⲒⲰⲒϢ ⲘⲘⲞ ⲚⲰⲦⲈⲚ ϨⲒⲚⲀ ⲚⲐⲰⲦⲈⲚ ϨⲰⲦⲈⲚ ⲚⲦⲈⲞⲨⲘⲈⲦϢⲪⲎⲢ ϢⲰⲠⲒ ⲚⲰⲦⲈⲚ ⲚⲈⲘⲀⲚ ⲦⲈⲚⲘⲈⲦϢⲪⲎⲢ ⲆⲈ ⲤⲬⲎ ⲚⲈⲘ ⲪⲒⲰⲦ ⲚⲈⲘ ⲠⲈϤϢⲎⲢⲒ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲤ
હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.
4 ⲇ̅ ⲞⲨⲞϨ ⲚⲀⲒ ⲦⲈⲚⲤϦⲀⲒ ⲘⲘⲰⲞⲨ ⲚⲰⲦⲈⲚ ϨⲒⲚⲀ ⲚⲦⲈⲠⲈⲦⲈⲚⲢⲀϢⲒ ϢⲰⲠⲒ ⲈϤϪⲎⲔ ⲈⲂⲞⲖ
અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.
5 ⲉ̅ ⲞⲨⲞϨ ⲪⲀⲒ ⲠⲈ ⲠⲒⲰϢ ⲈⲦⲀⲚⲤⲞⲐⲘⲈϤ ⲦⲈⲚϨⲒⲰⲒϢ ⲘⲘⲞϤ ⲚⲰⲦⲈⲚ ϪⲈ ⲪⲚⲞⲨϮ ⲞⲨⲞⲨⲰⲒⲚⲒ ⲠⲈ ⲞⲨⲞϨ ⲘⲘⲞⲚ ϨⲖⲒ ⲚⲬⲀⲔⲒ ⲚϦⲎⲦϤ
હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.
6 ⲋ̅ ⲈϢⲰⲠ ⲀⲚϢⲀⲚϪⲞⲤ ϪⲈ ⲞⲨⲞⲚⲦⲀⲚ ⲚⲞⲨⲘⲈⲦϢⲪⲎ ⲢⲚⲈⲘⲀϤ ⲞⲨⲞϨ ⲈⲚⲘⲞϢⲒ ϦⲈⲚⲠⲒⲬⲀⲔⲒ ⲈⲚϪⲈⲘⲈⲐⲚⲞⲨϪ ⲞⲨⲞϨ ⲦⲈⲚⲒⲢⲒ ⲚⲐⲘⲎⲒ ⲀⲚ
જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી.
7 ⲍ̅ ⲈϢⲰⲠ ⲀⲚϢⲀⲚⲘⲞϢⲒ ϦⲈⲚⲠⲒⲞⲨⲰⲒⲚⲒ ⲘⲪⲢⲎϮ ϨⲰϤ ⲈⲦⲈϤⲘⲞϢⲒ ϦⲈⲚⲠⲒⲞⲨⲰⲒⲚⲒ ⲞⲨⲞⲚⲦⲀⲚ ⲚⲞⲨⲘⲈⲦϢⲪⲎⲢ ⲚⲈⲘ ⲚⲈⲚⲈⲢⲎⲞⲨ ⲞⲨⲞϨ ⲠⲤⲚⲞϤ ⲚⲒⲎⲤⲞⲨⲤ ⲠⲈϤϢⲎⲢⲒ ϤⲚⲀⲦⲞⲨⲂⲞⲚ ⲈⲂⲞⲖ ϨⲀ ⲚⲞⲂⲒ ⲚⲒⲂⲈⲚ
પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.
8 ⲏ̅ ⲈϢⲰⲠ ⲀⲚϢⲀⲚϪⲞⲤ ϪⲈ ⲘⲘⲞⲚⲦⲈⲚ ⲚⲞⲂⲒ ⲘⲘⲀⲨ ⲦⲈⲚⲈⲢϨⲀⲖ ⲘⲘⲞⲚ ⲘⲘⲀⲨⲀⲦⲈⲚ ⲞⲨⲞϨ ⲐⲘⲎⲒ ϢⲞⲠ ⲚϦⲎⲦⲈⲚ ⲀⲚ
જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
9 ⲑ̅ ⲈϢⲰⲠ ⲀⲚϢⲀⲚⲞⲨⲰⲚϨ ⲚⲚⲈⲚⲚⲞⲂⲒ ⲈⲂⲞⲖ ϤⲈⲚϨⲞⲦ ⲞⲨⲞϨ ⲞⲨⲐⲘⲎⲒ ⲠⲈ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤⲬⲀ ⲚⲈⲚⲚⲞⲂⲒ ⲚⲀⲚ ⲈⲂⲞⲖ ⲞⲨⲞϨ ϤⲚⲀⲦⲞⲨⲂⲞⲚ ⲤⲀⲂⲞⲖ ⲚϬⲒⲚϪⲞⲚⲤ ⲚⲒⲂⲈⲚ
જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
10 ⲓ̅ ⲈϢⲰⲠ ⲀⲚϢⲀⲚϪⲞⲤ ϪⲈ ⲘⲠⲈⲚⲈⲢⲚⲞⲂⲒ ⲦⲈⲚⲒⲢⲒ ⲘⲘⲞϤ ⲚⲤⲀⲘⲈⲐⲚⲞⲨϪ ⲞⲨⲞϨ ⲠⲈϤⲤⲀϪⲒ ϢⲞⲠ ⲚϦⲎⲦⲈⲚ ⲀⲚ.
૧૦જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.

< ⲒⲰⲀⲚⲚⲎⲤ Ⲁ ̅ 1 >