< लूका 4 >

1 फिरी यीशु पबित्र आत्मा ने परिपूर्ण होईकरी यरदन खड्डा ला बापस आया; कने आत्मा दी अगुवाई ने सुनसान जगा च रिया;
ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,
2 कने शैतान चालियां रोजां दीकर उदी परख करदा रिया। उना रोजां च उनी कुछ नी खादा कने जालू सै रोज पुरे होई गे, तालू उसयो भूख लग्गी।
તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
3 कने शैताने उसयो बोलया, “अगर तू परमेश्वरे दा पुत्र है तां इसी पथरे जो बोल की, तू रोटी बणी जा।”
શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.
4 यीशुऐ उसयो जबाब दिता, “पबित्र शास्त्र च लिखया है: माणुऐ सिर्फ रोटियां ने ही जिंदे नी रेणा।”
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
5 तालू सै शैतान उसयो लेई गिया कने पल भर च ही सारे संसारे दे राज्य उसयो दस्से।
શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
6 कने उसयो बोलया, मैं ऐ सारे हक, कने सारा धन दौलत तिजो दिंगा, क्योंकि सै मिंजो दितया है: कने जिसयो दिल करदा उसयो देई दिन्दा है।
શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;
7 इस तांई अगर तू मिंजो नमस्ते करगा, तां ऐ सारा तेरा होई जाणा।
માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”
8 यीशुऐ उसयो जबाब दिता, “पबित्र शास्त्र च इयां लिखया है: तू अपणे परमेश्वरे जो नमस्ते कर; कने उदी ही उपासना कर।”
અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”
9 तालू उनी उसयो यरूशलेम शेहर च लेईजाई करी मंदरे दिया चुंडिया पर खड़ेरया, कने उसयो बोलया, “अगर तू परमेश्वरे दा पुत्र है, तां अपणे आपे जो ऐथू ला थले फेंकी दे।
તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.
10 क्योंकि पबित्र शास्त्र च लिखया हे, उनी तेरे तांई अपणे स्वर्गदूतां जो हुकम देणा, की सै तिजो बचान।
૧૦કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;
11 कने उना तिजो हथो हथ सभांली लेणा पर इयां ना हो की तेरे पैरां च पथरे ने चोट लग्गी जा।”
૧૧તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”
12 यीशुऐ उसयो जबाब दिता, पबित्र शास्त्र च ऐ भी लिखया है: तू अपणे प्रभु परमेश्वरे दी परख मत करदा।
૧૨ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”
13 जालू शैतान सारियां परखां करी बैठा, तालू सै थोड़ी देरां तांई उदे बखे ला चली गिया।
૧૩શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
14 फिरी यीशु आत्मा दिया शक्तिया ने परिपूर्ण होईकरी गलील प्रदेश जो बापिस गिया, कने उदी चर्चा अखे-बखे दे देशां च फेली गेई।
૧૪ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
15 कने सै उना ही यहूदी जंज घरां च उपदेश करदा रिया, कने सारे उदी बड़ाई करदे थे।
૧૫અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.
16 कने सै नासरत च बापस आया; जिथू पलया बडोयो था; कने अपणे रिबाजे दे अनुसार सब्त दे रोजे पबित्र शास्त्र पढ़ने तांई यहूदी जंज घर च जाई करी खड़ोई गिया।
૧૬નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.
17 परमेश्वरे दा संदेश देणेबाले यशायाह दी कताब पढ़ने जो उसयो दिती। कने उनी कताब खोलिकरी सै जगा कडी जिथू ऐ लिखया था:
૧૭યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,
18 “प्रभु दी आत्मा मिंजो सोगी है, इस तांई उनी कंगालां जो शुभसमाचार सुनाणे तांई मेरा अभिषेक कितया है, कने मिंजो इस तांई भेजया है, की केदियां जो छुटकारे दा कने अन्नयां जो नजर मिलणे दा शुभसमाचार दा प्रचार करे कने कुचले होया जो छुडां।
૧૮‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં
19 कने प्रभु दे खुश रेणें दे साले दा प्रचार करे।”
૧૯તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”
20 तालू उनी कताब बंद करी के सेवके दे हथे च देई दिती, कने बैठी गिया: कने यहूदी जंज घर दे सारे लोकां दियां नजरां उस पर थियां।
૨૦પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.
21 तालू सै उना ने बोलणा लग्गा, “अज ही तुहाड़े सुणने ने ऐ लेख पूरा होया है।”
૨૧ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’”
22 कने सारयां लोकां उदी प्रशंशा किती, जड़ियां अनुग्रह दियां गल्लां उदे मुऐ ला निकलदियां थियां, उना ला हेरान होए; कने बोलणा लग्गे, “क्या ऐ यूसुफे दा पुत्र नी है?”
૨૨બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”
23 उनी उना जो बोलया, “तुसां मिंजो पर ऐ कहावत जरुर बोलणी है, की हे बैद्य, अपणे आपे जो खरा कर। जड़ा कुछ असां सुणाया है की तू कफरनहूम शेहरे च कितया है, उसयो अपणे देशे च भी कर।”
૨૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.
24 कने उनी बोलया, “मैं तुहांजो ने सच्च बोलदा है, कुसी भी परमेश्वरे दा संदेश देणेबालयां जो अपणे देशे च इज्जत नी मिलदी।
૨૪ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.
25 मेरी गल्ल सुणा। की परमेश्वरे दा संदेश देणेबाले एलिय्याह दे दिना च जालू साडे तिन्ना सालां दीकर कोई बरखा नी होई, ऐथू दीकर की सारे इस्राएल देशे च बड़ा भरी अकाल पिया, तां इस्राएल देशे च मतियां बिधबा थियां।
૨૫પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;
26 पर एलिय्याह जो इस्राएल च उना चे कुसी बाल भी नी भेजया गिया, सिर्फ सिदोन शेहर दे बखे साफरत दे इलाके च इक होर जाति दी बिधवा बाल भेजया।
૨૬તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.
27 कने परमेश्वरे दा संदेश देणेबाले एलीशा दे बकते इस्राएल देशे च बतेरे कोढ़ी थे, पर सीरिया दा वासी नामान जो छडी करी उना चे कोई भी ठीक नी किता, नामान होर जाति दा था।”
૨૭વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.
28 ऐ सारियां गल्लां सुणिकरी जितणे भी यहूदी जंज घर च थे, सारे गुस्से होई गे।
૨૮એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;
29 कने उना उठी करी उसयो शेहरे ला बाहर कडया, कने जिस पाहड़े पर उना दा शेहर बसया था, उसयो उदिया चुंडिया पर लेई चले, ताकि उसयो ओथु ला थले फेंकी करी मारी देन।
૨૯તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.
30 पर सै उना दे बिचे ला निकली करी चली गिया।
૩૦પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.
31 फिरी यीशु गलील प्रदेश दे कफरनहूम शेहर च गिया, कने सब्त दे रोजे लोकां जो उपदेश दिन्दा था।
૩૧પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;
32 सै उदे उपदेशे ने हेरान होई गे क्योंकि यीशु बचन अधिकारे ने बोलदा था।
૩૨ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.
33 तालू ही यहूदी जंज घर च इक माणु था, जिदे बिच इक बुरी आत्मा थी।
૩૩ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું કે,
34 उनी जोरे ने बोलया, “हे नासरत दे यीशु, तु सांझो कजो परेशान करदा है? तू क्या सांझो खत्म करणा आया है? मिंजो पता है की, तू कुण है? तु ही परमेश्वर दा पबित्र पुत्र मसिहा है, जड़ा परमेश्वरे ला आया है।”
૩૪‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”
35 यीशुऐ बुरिया आत्मा जो झिड़कया कने बोलया, चुप रे; कने इस माणुऐ ला निकली जा, तालू सै बुरी आत्मा उसयो बिच पटकी करी बिना नुकसान कितयो उस बन्दे ला निकली गेई।
૩૫ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો.
36 इस पर सबना जो हेरानी होई, कने सै अपु चे गल्लां करी के बोलणा लग्गे, “ऐ कदिया बचन है? की सै हक कने सामर्थ्य ने बुरियां आत्मा जो हुकम दिन्दा है, कने बुरी आत्मा इसदियां गल्लां जो मंदियां भी न।”
૩૬બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’”
37 इदे बाद यीशुऐ दी चर्चा सारे पासे होणा लग्गी पेई।
૩૭આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.
38 सै यहूदी जंज घर ला उठी करी शमौने दे घरे जो गिया कने शमौने दिया ससु जो बुखार चड़या था, कने उना उसा तांई यीशुऐ ने बिनती किती।
૩૮સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.
39 उनी उसा बखे खड़े होईकरी बुखारे जो डांटया कने बुखार उतरी गिया कने सै झट पट उठी करी उदी सेबा करणा लग्गी पेई।
૩૯તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.
40 सूरजे डुबणे दे बेले जिना -जिना लोकां जो लग-लग तरा दियां बमारियां थियां उना सारयां लोका जो यीशुऐ बाल लेई आये, कने उनी इकी-इकी पर हथ रखीकरी सारयां जो ठीक किता।
૪૦સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં.
41 कने बुरियां आत्मा चिखदियां कने बोलदियाँ होइयां मतयां लोकां ला निकली गियां की, “तू परमेश्वरे दा पुत्र है” पर सै उना जो डांटदा था, कने बोलणा नी दिन्दा था, क्योंकि उना जो पता था की ऐ मसीह है।
૪૧ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”
42 जालू दिन होया तां सै निकली करी इक सुनसान जगा पर चली गिया, कने भिड़ा दी भीड़ उसयो तोपदे उस बाल आई, कने उसयो रोकणा लग्गी, की ऐथू ला ना जा।
૪૨દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં.
43 पर यीशुऐ उना ने बोलया, “मिंजो होर-होर शेहरां च भी परमेश्वरे दे राज्य दा शुभसमाचार सुणाणा जरूरी है, क्योंकि मैं इसी तांई संसारे च भेजया है।”
૪૩પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”
44 कने सै गलील प्रदेश दे यहूदी जंज घर च प्रचार करदा रिया।
૪૪યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.

< लूका 4 >