< लूका 20 >

1 एक्की दिहाड़े ज़ैखन यीशु मन्दरे मां शिक्षा लोरो थियो देने, ते तैन खुशखबरी लोरो थियो शुनाने त प्रधान याजक ते शास्त्री ते यहूदी बुज़ुर्ग यीशु कां पुज़े।
એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા.
2 ते तैना ज़ोने लगे, “तू एन सैरी गल्लां कसेरे अधिकारे सेइं केरतस या तीं ए अधिकारे केनि दित्तोरोए?”
તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”
3 यीशु तैन जुवाब दित्तो, “अवं भी तुसन अक गल पुछ़तईं, मीं ज़ोथ।
ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો
4 यूहन्नारो बपतिस्मो स्वर्गेरे तरफां थियो या मैन्हु केरे तरफां थियो?”
યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”
5 तैना एप्पू मांमेइं बेंस केरने लगे, “कि अगर अस ज़ोम, ‘स्वर्गेरे तरफां थियो,’ त तै पुछ़ेलो कि, ‘फिरी तुसेईं याकीन की नईं कियेरू?’
તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
6 पन अगर अस ज़ोम कि, ‘मैन्हु केरे तरफां थियो,’ त लोकेईं असन घोड़ेईं देनिन, किजोकि तैना यूहन्ना नबी मन्ते थिये।”
અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”
7 एल्हेरेलेइ तैनेईं जुवाब दित्तो, “कि अस न ज़ानम कि केसेरी तरफां थियो।”
તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’”
8 यीशु तैन सेइं ज़ोवं, “त अवं भी तुसन सेइं न ज़ोईं कि एना कम्मां कसेरे अधिकारे सेइं केरताईं।”
ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”
9 फिरी यीशु तैन लोकन अक मिसाल देइतां ज़ोने लगो, “एक्की मैने दाछ़री बाग लाई ते तै ठेकेदारन ठेके पुड़ देइतां एप्पू खरे च़िरे कोस्कोई दूर मुलखे च़लो जेव।
તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો.
10 ज़ेइस दाछ़ पकनेरो मौसम अव त तैनी अपनो हिस्सो नेनेरे लेइ अक नौकर बागी मां भेज़ो। पन तैनेईं तै खूब कुटो ते खाली वापस भेज़ो।
૧૦મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
11 ते फिरी तैनी अक होरो नौकर भेज़ो, पन तैनेईं तैसेरी भी बेइज़ती की, ते तै भी झ़ुस कुट केरतां खाली वापस भेज़ो।
૧૧પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો.
12 फिरी तैनी अक ट्लेइयोवं होरो नौकर भेज़ो, पन तैनेईं तैसेरी भी बेइज़ती की ते ज़ख्मी केरतां कढो।
૧૨તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
13 तैखन बागारे मालिके ज़ोवं, ‘अवं अपनू ट्लारू मट्ठू भेज़ताईं शैइद तैना तैसेरो लिहाज़ केरेले।’
૧૩દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’”
14 पन ज़ैखन ठेकेदारेइं तै लाव त एप्पू मांमेइं मुशोरो केरने लगे, ए मालिके, एज्जा एस्से मारम ताके जेइदात इश्शी भोइ गाए।
૧૪પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
15 तैनेईं तैन मट्ठू बागी मरां बेइर शैरी छ़ड्डू, ते मारू तुस सोचा कि फिरी बागारे मालिके तैन सेइं कुन केरेलो।
૧૫તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે?
16 ते मालिक एइतां तैन मैरी छ़डेलो ते बाग होरि केरे हवाले केरेलो।” तैनेईं एन शुन्तां ज़ोवं, “परमेशर न केरे एरू न भोए।”
૧૬તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”
17 तैनी तैन केरे पासे तेकतां ज़ोवं, “फिरी इन कुने ज़ैन पवित्रशास्त्रे मां लिखोरूए कि, ‘ज़ै घोड़ मिस्त्रेईं रद्दी कियो, तैए घोड़ कूनेरो घोड़ भोलो।’
૧૭પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો.
18 ज़ै मैन्हु इस घोड़े पुड़ बिछ़ड़ेलो त तैसेरे टुक्ड़े-टुक्ड़े भोइ गाले, ते ज़ैस उन्ढो ए घोड़ बिछ़ड़ेलो तैस ए पितां छ़डेलो।”
૧૮તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.
19 शास्त्री लोकेईं ते प्रधान याजकेईं यीशु ट्लानेरी कोशिश की। किजोकि तैना बुझ़ी जोरे थिये, कि तैनी ए मिसाल एन केरे बारे मां शुनेवरी थी, पन तैना लोकन करां डरते थिये।
૧૯શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે.
20 तैना लोक यीशुए ट्लानेरो मौको तोपने लोरे थिये, तैनेईं विशवैसी केरे रूपे मां जासूस भेज़े ताके तैसेरी कोई गल ट्लेइ सखन ते फिरी राज़ेरे अधिकारे मां देइ देन।
૨૦તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
21 तैनेईं यीशु पुच़्छ़ू, “हे गुरू अस ज़ानतम कि तू सच़्च़ो आस ते सच़्च़ेरी शिक्षा देतस, ते केन्चेरी तरफदारी न केरस बल्के सच़्च़े सेइं परमेशरेरी बत्तरी शिक्षा देतस।
૨૧તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો;
22 कुन असन महाराज़े जो धड़त देनी जेइज़े कि नेईं?”
૨૨તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”
23 यीशुए तैन केरि च़लाकी बुझ़तां तैन जो ज़ोवं।
૨૩પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,
24 “मीं अक दीनार हिराथ ते एस पुड़ केसेरी शकल ते केसेरू नंव्वे?” तैनेईं ज़ोवं, “महाराज़ेरी।”
૨૪‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”
25 यीशु तैन सेइं ज़ोवं, “ज़ैन महाराज़ेरू तैन महाराज़े जो देथ, ते ज़ैन परमेशरेरू ए, तैन परमेशरे जो देथ।”
૨૫ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”
26 ते तैना लोकां केरे सामने तैसेरी कोई गल न ट्लेइ सखे बल्के तैसेरे जुवाबे सेइं तैना हैरान भोइतां च़ुप रेइजे।
૨૬લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
27 फिरी सदूकी ज़ैन ज़ोते थिये कि मुवोरे ज़ींते न भोन ते फिरी किछ यीशु कां एइतां पुच्छ़ने लगे।
૨૭સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,
28 “हे गुरू असन जो मूसेरो हुक्मे कि अगर केन्चेरो ढ्ला अपनि कुआन्शारे भोंते संते ओईट्ल मेरि गाए त तैसेरो ढ्ला तैस कुआन्शी सेइं ड्ला बनाए, ताके तै अपने ढ्लाएरे लेइ औलाद पैदा केरे।
૨૮‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.
29 सत ढ्ला थिये पेइले ड्ला बनाव ते ओईट्ले मेरि जेव।
૨૯હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો;
30 फिरी होरे तैस सेइं ड्ला बनाव।
૩૦પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી
31 फिरी तैल्ला पत्ती ट्लेइयोवं तै कुआन्श रख्खी फिरी एन्च़रे सेइं सत्तेईं ज़नेईं ड्ला बनाव, पन सब बेऔलाद मेरि जे।
૩૧ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ: સંતાન મરણ પામ્યા.
32 ते आखर्कार तै कुआन्श भी मेरि जेई।
૩૨પછી તે સ્ત્રી પણ મરણ પામી.
33 ते ज़ींते भोने पुड़ तै केसेरी कुआन्श भोली? किजोकि तै सत्ते ढ्लां केरि कुआन्श बनोरी थी।”
૩૩તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”
34 यीशुए तैन सेइं ज़ोवं, “इस दुनियारे लोकन मां त ड्ला बनानेरो दस्तूरे। (aiōn g165)
૩૪ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; (aiōn g165)
35 पन ज़ैना लोक एजने बैली दुनियारे काबल भोले, ते ज़ैना मुड़दन मरां ज़ींते भोले तैना ड्ला न बनाले। (aiōn g165)
૩૫પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; (aiōn g165)
36 तैना मरेले भी नन्ना एल्हेरेलेइ की तैना स्वर्गदूतां केरे ज़ेरे भोले ते तैन जो ज़ींते भोनेरां ते परमेशरेरां मट्ठां ज़ोले।
૩૬કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
37 ते ज़ैड़ी तगर मुड़दां केरो ज़ींते भोनेरी गल्ले, ज़ेन्च़रे मूसा नेबेरे ज़लते झ़ैल्लोवेरे बारे मां, तेन्च़रे इशारो कियो किजोकि तै परमेशर अब्राहमेरो परमेशर, इसहाकेरो परमेशर ते याकूबेरो परमेशर ज़ोइतां फुकारतो थियो।
૩૭વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે.
38 पन परमेशर मुड़दां केरो नईं बल्के ज़ींतां केरो परमेशरे। किजोकि तैसेरे नेड़े सब ज़ींतेन।”
૩૮હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”
39 शास्त्री लोकन मरां किछेईं जुवाब दित्तो, “हे गुरू तीं त बड़ू रोड़ू ज़ोवं।”
૩૯શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’”
40 फिरी तैन मरां केन्ची हिम्मत न अई, कि एस होरू किछ पुछ़न।
૪૦પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
41 फिरी यीशुए तैन सेइं ज़ोवं, “फिरी मसीह जो दाऊदेरू मट्ठू केन्च़रे सेइं ज़ोतन?
૪૧ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે?
42 किजोकि दाऊद त एप्पू भजना केरे किताबी मां ज़ोते, परमेशरे मेरे प्रभु सेइं ज़ोवं, मेरे देइने पासे बिश।
૪૨કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
43 कि ज़ां तगर अवं तेरे दुश्मन तेरे पावन हैठ न बिशैली।
૪૩હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.
44 दाऊद त तैस जो प्रभु ज़ोते, फिरी तैन तैसेरू मट्ठू केन्च़रे भोवं?”
૪૪દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”
45 ज़ैखन सब लोक शुनी राहोरे थिये त यीशुए अपने चेलन सेइं ज़ोवं।
૪૫સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે,
46 “शास्त्री लोकन करां हुशार रेइयथ तैना लम्मे-लम्मे कुरते लांने पसंद केरतन, ते होरू एन चातन कि लोक बज़ारन मां तैन जो नमस्कार ज़ोन, ते तैना प्रार्थना घरे मां उच्ची कुर्सी तोपतन ते धामन मां बड़े खास बन्नू चातन।
૪૬‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે;
47 तैना विधवां कुआन्शां केरां घरां लुटतन ते लोकन हिरानेरे लेइ बड़ी लम्मी प्रार्थना केरतन। तैन हछ्छी सज़ा मैलनीए।”
૪૭જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”

< लूका 20 >