< یاکُوبَح 1 >

اِیشْوَرَسْیَ پْرَبھو رْیِیشُکھْرِیشْٹَسْیَ چَ داسو یاکُوبْ وِکِیرْنِیبھُوتانْ دْوادَشَں وَںشانْ پْرَتِ نَمَسْکرِتْیَ پَتْرَں لِکھَتِ۔ 1
વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
ہے مَمَ بھْراتَرَح، یُویَں یَدا بَہُوِدھَپَرِیکْشاشُ نِپَتَتَ تَدا تَتْ پُورْنانَنْدَسْیَ کارَنَں مَنْیَدھْوَں۔ 2
મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;
یَتو یُشْماکَں وِشْواسَسْیَ پَرِیکْشِتَتْوینَ دھَیرْیَّں سَمْپادْیَتَ اِتِ جانِیتھَ۔ 3
કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.
تَچَّ دھَیرْیَّں سِدّھَپھَلَں بھَوَتُ تینَ یُویَں سِدّھاح سَمْپُورْناشْچَ بھَوِشْیَتھَ کَسْیاپِ گُنَسْیابھاوَشْچَ یُشْماکَں نَ بھَوِشْیَتِ۔ 4
તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
یُشْماکَں کَسْیاپِ جْنانابھاوو یَدِ بھَویتْ تَرْہِ یَ اِیشْوَرَح سَرَلَبھاوینَ تِرَسْکارَنْچَ وِنا سَرْوّیبھْیو دَداتِ تَتَح سَ یاچَتاں تَتَسْتَسْمَے دایِشْیَتے۔ 5
તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
کِنْتُ سَ نِحسَنْدیہَح سَنْ وِشْواسینَ یاچَتاں یَتَح سَنْدِگْدھو مانَوو وایُنا چالِتَسْیوتْپْلَوَمانَسْیَ چَ سَمُدْرَتَرَنْگَسْیَ سَدرِشو بھَوَتِ۔ 6
પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
تادرِشو مانَوَح پْرَبھوح کِنْچِتْ پْراپْسْیَتِیتِ نَ مَنْیَتاں۔ 7
એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
دْوِمَنا لوکَح سَرْوَّگَتِشُ چَنْچَلو بھَوَتِ۔ 8
આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
یو بھْراتا نَمْرَح سَ نِجونَّتْیا شْلاگھَتاں۔ 9
જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
یَشْچَ دھَنَوانْ سَ نِجَنَمْرَتَیا شْلاگھَتاںیَتَح سَ ترِنَپُشْپَوَتْ کْشَیَں گَمِشْیَتِ۔ 10
૧૦જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
یَتَح سَتاپینَ سُورْیّینودِتْیَ ترِنَں شوشْیَتے تَتْپُشْپَنْچَ بھْرَشْیَتِ تینَ تَسْیَ رُوپَسْیَ سَونْدَرْیَّں نَشْیَتِ تَدْوَدْ دھَنِلوکوپِ سْوِییَمُوڈھَتَیا مْلاسْیَتِ۔ 11
૧૧કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
یو جَنَح پَرِیکْشاں سَہَتے سَ ایوَ دھَنْیَح، یَتَح پَرِیکْشِتَتْوَں پْراپْیَ سَ پْرَبھُنا سْوَپْریمَکارِبھْیَح پْرَتِجْناتَں جِیوَنَمُکُٹَں لَپْسْیَتے۔ 12
૧૨જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
اِیشْوَرو ماں پَرِیکْشَتَ اِتِ پَرِیکْشاسَمَیے کوپِ نَ وَدَتُ یَتَح پاپاییشْوَرَسْیَ پَرِیکْشا نَ بھَوَتِ سَ چَ کَمَپِ نَ پَرِیکْشَتے۔ 13
૧૩કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.
کِنْتُ یَح کَشْچِتْ سْوِییَمَنووانْچھَیاکرِشْیَتے لوبھْیَتے چَ تَسْیَیوَ پَرِیکْشا بھَوَتِ۔ 14
૧૪પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
تَسْماتْ سا مَنووانْچھا سَگَرْبھا بھُوتْوا دُشْکرِتِں پْرَسُوتے دُشْکرِتِشْچَ پَرِنامَں گَتْوا مرِتْیُں جَنَیَتِ۔ 15
૧૫પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
ہے مَمَ پْرِیَبھْراتَرَح، یُویَں نَ بھْرامْیَتَ۔ 16
૧૬મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.
یَتْ کِنْچِدْ اُتَّمَں دانَں پُورْنو وَرَشْچَ تَتْ سَرْوَّمْ اُورْدّھوادْ اَرْتھَتو یَسْمِنْ دَشانْتَرَں پَرِوَرْتَّنَجاتَچّھایا وا ناسْتِ تَسْمادْ دِیپْتْیاکَراتْ پِتُرَوَروہَتِ۔ 17
૧૭દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
تَسْیَ سرِشْٹَوَسْتُوناں مَدھْیے وَیَں یَتْ پْرَتھَمَپھَلَسْوَرُوپا بھَوامَسْتَدَرْتھَں سَ سْویچّھاتَح سَتْیَمَتَسْیَ واکْییناسْمانْ جَنَیاماسَ۔ 18
૧૮તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
اَتَایوَ ہے مَمَ پْرِیَبھْراتَرَح، یُشْماکَمْ ایکَیکو جَنَح شْرَوَنے تْوَرِتَح کَتھَنے دھِیرَح کْرودھےپِ دھِیرو بھَوَتُ۔ 19
૧૯મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
یَتو مانَوَسْیَ کْرودھَ اِیشْوَرِییَدھَرْمَّں نَ سادھَیَتِ۔ 20
૨૦કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
اَتو ہیتو رْیُویَں سَرْوّامْ اَشُچِکْرِیاں دُشْٹَتاباہُلْیَنْچَ نِکْشِپْیَ یُشْمَنْمَنَساں پَرِتْرانے سَمَرْتھَں روپِتَں واکْیَں نَمْرَبھاوینَ گرِہْلِیتَ۔ 21
૨૧માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
اَپَرَنْچَ یُویَں کیوَلَمْ آتْمَوَنْچَیِتارو واکْیَسْیَ شْروتارو نَ بھَوَتَ کِنْتُ واکْیَسْیَ کَرْمَّکارِنو بھَوَتَ۔ 22
૨૨તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
یَتو یَح کَشْچِدْ واکْیَسْیَ کَرْمَّکارِی نَ بھُوتْوا کیوَلَں تَسْیَ شْروتا بھَوَتِ سَ دَرْپَنے سْوِییَشارِیرِکَوَدَنَں نِرِیکْشَمانَسْیَ مَنُجَسْیَ سَدرِشَح۔ 23
૨૩કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
آتْماکارے درِشْٹے سَ پْرَسْتھایَ کِیدرِشَ آسِیتْ تَتْ تَتْکْشَنادْ وِسْمَرَتِ۔ 24
૨૪કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
کِنْتُ یَح کَشْچِتْ نَتْوا مُکْتیح سِدّھاں وْیَوَسْتھامْ آلوکْیَ تِشْٹھَتِ سَ وِسْمرِتِیُکْتَح شْروتا نَ بھُوتْوا کَرْمَّکَرْتَّیوَ سَنْ سْوَکارْیّے دھَنْیو بھَوِشْیَتِ۔ 25
૨૫પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.
اَنایَتَّرَسَنَح سَنْ یَح کَشْچِتْ سْوَمَنو وَنْچَیِتْوا سْوَں بھَکْتَں مَنْیَتے تَسْیَ بھَکْتِ رْمُدھا بھَوَتِ۔ 26
૨૬જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.
کْلیشَکالے پِترِہِیناناں وِدھَوانانْچَ یَدْ اَویکْشَنَں سَںساراچَّ نِشْکَلَنْکینَ یَدْ آتْمَرَکْشَنَں تَدیوَ پِتُرِیشْوَرَسْیَ ساکْشاتْ شُچِ رْنِرْمَّلا چَ بھَکْتِح۔ 27
૨૭વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.

< یاکُوبَح 1 >