< રોમનોને પત્ર 14 >

1 વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
ⲁ̅ⲠⲈⲦϢⲰⲚⲒ ϦⲈⲚⲪⲚⲀϨϮ ϢⲞⲠϤ ⲈⲢⲰⲦⲈⲚ ϦⲈⲚϨⲀⲚϨⲒⲞⲒ ⲀⲚ ⲚⲦⲈϨⲀⲚⲘⲞⲔⲘⲈⲔ.
2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.
ⲃ̅ⲞⲨⲞⲚ ⲠⲈⲐⲚⲀϨϮ ⲘⲈⲚ ⲈⲞⲨⲈⲘ ⲈⲚⲬⲀⲒ ⲚⲒⲂⲈⲚ ⲠⲈⲦϢⲰⲚⲒ ⲆⲈ ϢⲀϤⲞⲨⲈⲘ ⲞⲨⲞϮ.
3 જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.
ⲅ̅ⲪⲎ ⲈⲐⲞⲨⲰⲘ ⲘⲠⲈⲚⲐⲢⲈϤϢⲈϢϤ ⲪⲎ ⲈⲦⲈⲚϤⲞⲨⲰⲘ ⲀⲚ ⲪⲎ ⲈⲦⲈⲚϤⲞⲨⲰⲘ ⲀⲚ ⲘⲠⲈⲚⲐⲢⲈϤϮ ϨⲀⲠ ⲈⲠⲈⲐⲞⲨⲰⲘ ⲪⲚⲞⲨϮ ⲄⲀⲢ ⲀϤϢⲞⲠϤ ⲈⲢⲞϤ.
4 તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
ⲇ̅ⲚⲐⲞⲔ ⲚⲒⲘ ⲚⲐⲞⲔ ⲪⲎ ⲈⲦϮϨⲀⲠ ⲈⲞⲨⲂⲰⲔ ⲚϢⲈⲘⲘⲞ ⲈϤⲞϨⲒ ⲈⲢⲀⲦϤ ⲈⲠⲈϤϬⲞⲒⲤ ⲒⲈ ⲈϤⲚⲀϨⲈⲒ ⲈϤⲞϨⲒ ⲆⲈ ⲈⲢⲀⲦϤ ⲞⲨⲞⲚ ϢϪⲞⲘ ⲘⲠϬⲞⲒⲤ ⲈⲦⲀϨⲞϤ ⲈⲢⲀⲦϤ.
5 કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
ⲉ̅ⲞⲨⲞⲚ ⲠⲈϮϨⲀⲠ ⲄⲀⲢ ⲘⲈⲚ ⲚⲈϨⲞⲞⲨ ϦⲀⲦϨⲎ ⲚⲈϨⲞⲞⲨ ⲞⲨⲞⲚ ⲠⲈⲦϮϨⲀⲠ ⲆⲈ ⲚⲈϨⲞⲞⲨ ⲚⲒⲂⲈⲚ ⲠⲒⲞⲨⲀⲒ ⲠⲒⲞⲨⲀⲒ ⲘⲀⲢⲈϤⲐⲰⲦ ⲚϨⲎⲦ ϦⲈⲚⲠⲈϤϨⲎⲦ ⲘⲘⲒⲚ ⲘⲘⲞϤ.
6 અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.
ⲋ̅ⲪⲎ ⲈⲐⲘⲈⲨⲒ ⲈⲠⲒⲈϨⲞⲞⲨ ⲀϤⲘⲈⲨⲒ ⲈⲠϬⲞⲒⲤ ⲞⲨⲞϨ ⲠⲈⲐⲞⲨⲰⲘ ⲀϤⲞⲨⲰⲘ ⲘⲠϬⲞⲒⲤ ϤϢⲈⲠϨⲘⲞⲦ ⲄⲀⲢ ⲚⲦⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲞⲨⲞϨ ⲪⲎ ⲈⲦⲈⲚϤⲞⲨⲰⲘ ⲀⲚ ϤⲞⲨⲰⲘ ⲀⲚ ⲘⲠϬⲞⲒⲤ ⲞⲨⲞϨ ϤϢⲈⲠϨⲘⲞⲦ ⲚⲦⲈⲚ ⲪⲚⲞⲨϮ.
7 કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
ⲍ̅ⲘⲘⲞⲚ ϨⲖⲒ ⲄⲀⲢ ⲘⲘⲞⲚ ⲚⲀⲰⲚϦ ⲚⲀϤ ⲞⲨⲞϨ ⲘⲘⲞⲚ ϨⲖⲒ ⲚⲀⲘⲞⲨ ⲚⲀϤ.
8 કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
ⲏ̅ⲈϢⲰⲠ ⲄⲀⲢ ⲈⲚⲚⲀⲰⲚϦ ⲈⲚⲚⲀⲰⲚϦ ⲘⲠϬ ⲤⲈϢⲰⲠ ⲆⲈ ⲈⲚⲚⲀⲘⲞⲨ ⲈⲚⲚⲀⲘⲞⲨ ⲘⲠϬⲞⲒⲤ ⲒⲦⲈ ⲞⲨⲚ ⲈⲚⲚⲀⲰⲚϦ ⲒⲦⲈ ⲈⲚⲚⲀⲘⲞⲨ ⲀⲚⲞⲚ ⲚⲀ ⲠϬⲞⲒⲤ.
9 કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.
ⲑ̅ⲈⲐⲂⲈ ⲪⲀⲒ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲀϤⲘⲞⲨ ⲞⲨⲞϨ ⲀϤⲰⲚϦ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤⲈⲢϬⲞⲒⲤ ⲈⲚⲎ ⲈⲐⲘⲰⲞⲨⲦ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲦⲞⲚϦ.
10 ૧૦ પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
ⲓ̅ⲚⲐⲞⲔ ⲆⲈ ⲈⲐⲂⲈⲞⲨ ⲔϮϨⲀⲠ ⲈⲠⲈⲔⲤⲞⲚ ⲘⲘⲞⲚ ⲚⲐⲞⲔ ϨⲰⲔ ⲈⲐⲂⲈⲞⲨ ⲔϢⲰϢ ⲘⲠⲈⲔⲤⲞⲚ ⲀⲚⲞⲚ ⲄⲀⲢ ⲦⲎⲢⲈⲚ ⲤⲈⲚⲀⲦⲀϨⲞⲚ ⲈⲢⲀⲦⲈⲚ ⲚⲀϨⲢⲈⲚ ⲠⲒⲂⲎⲘⲀ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ.
11 ૧૧ એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
ⲓ̅ⲁ̅ⲤⲤϦⲎⲞⲨⲦ ⲄⲀⲢ ϪⲈ ϮⲞⲚϦ ⲀⲚⲞⲔ ⲠⲈϪⲈ ⲠϬⲞⲒⲤ ϪⲈ ⲔⲈⲖⲒ ⲚⲒⲂⲈⲚ ⲈⲨⲈⲔⲰⲖϪ ⲚⲎⲒ ⲞⲨⲞϨ ⲚⲦⲈⲖⲀⲤ ⲚⲒⲂⲈⲚ ⲞⲨⲰⲚϨ ⲈⲂⲞⲖ ⲘⲪⲚⲞⲨϮ.
12 ૧૨ એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
ⲓ̅ⲃ̅ϨⲀⲢⲀ ⲞⲨⲚ ⲠⲒⲞⲨⲀⲒ ⲠⲒⲞⲨⲀⲒ ⲘⲘⲞⲚ ϤⲚⲀϮⲖⲞⲄⲞⲤ ⲈϪⲰϤ ⲘⲪⲚⲞⲨϮ.
13 ૧૩ તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.
ⲓ̅ⲅ̅ⲘⲠⲈⲚⲐⲢⲈⲚϮϨⲀⲠ ⲞⲨⲚ ϪⲈ ⲈⲚⲈⲚⲈⲢⲎⲞⲨ ⲀⲖⲖⲀ ⲪⲀⲒ ⲘⲀⲖⲖⲞⲚ ⲘⲀϨⲀⲠ ⲈⲢⲞϤ ⲈϢⲦⲈⲘⲬ ⲀⲞⲨϬⲢⲞⲠ ⲒⲈ ⲞⲨⲤⲔⲀⲚⲆⲀⲖⲞⲚ ⲘⲠⲈⲔⲤⲞⲚ.
14 ૧૪ હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
ⲓ̅ⲇ̅ϮⲈⲘⲒ ⲞⲨⲞϨ ⲠⲀϨⲎⲦ ⲐⲎⲦ ϦⲈⲚⲠϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ϪⲈ ⲘⲘⲞⲚ ϨⲖⲒ ⲈϤϬⲀϦⲈⲘ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲞⲦϤ ⲈⲂⲎⲖ ⲈⲪⲎ ⲈⲐⲘⲈⲨⲒ ⲈⲞⲨⲈⲚⲬⲀⲒ ϪⲈ ϤϬⲀϦⲈⲘ ϤϬⲀϦⲈⲘ ⲚⲦⲞⲦϤ ⲘⲪⲎ ⲈⲦⲈⲘⲘⲀⲨ.
15 ૧૫ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
ⲓ̅ⲉ̅ⲒⲤϪⲈ ⲄⲀⲢ ⲈⲐⲂⲈ ⲞⲨϦⲢⲈ ⲀⲢⲈ ⲠⲈⲔⲤⲞⲚ ⲚⲀⲈⲢⲤⲔⲀⲚⲆⲀⲖⲒⲌⲈⲤⲐⲈ ⲒⲈ ⲔⲘⲞϢⲒ ⲀⲚ ϪⲈ ⲔⲀⲦⲀ ⲞⲨⲀⲄⲀⲠⲎ ⲘⲠⲈⲢⲦⲀⲔⲈ ⲪⲎ ⲈⲦⲀ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲘⲞⲨ ⲈϨⲢⲎⲒ ⲈϪⲰϤ ϦⲈⲚⲦⲈⲔϦⲢⲈ.
16 ૧૬ તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
ⲓ̅ⲋ̅ⲘⲠⲈⲚⲐⲢⲞⲨϪⲈⲞⲨⲀ ⲞⲨⲚ ⲈⲠⲈⲦⲈⲚⲠⲈⲐⲚⲀⲚⲈϤ.
17 ૧૭ કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
ⲓ̅ⲍ̅ϮⲘⲈⲦⲞⲨⲢⲞ ⲄⲀⲢ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲚⲀⲤϦⲈⲚ ⲞⲨⲰⲘ ⲀⲚ ⲚⲈⲘ ⲞⲨⲤⲰ ⲀⲖⲖⲀ ⲀⲤϦⲈⲚ ⲞⲨⲘⲈⲐⲘⲎ ⲒⲚⲈⲘ ⲞⲨϨⲒⲢⲎⲚⲎ ⲚⲈⲘ ⲞⲨⲢⲀϢⲒ ϦⲈⲚⲞⲨⲠⲚⲈⲨⲘⲀⲈϤⲞⲨⲀⲂ.
18 ૧૮ કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
ⲓ̅ⲏ̅ⲪⲎ ⲄⲀⲢ ⲈⲦⲞⲒ ⲘⲂⲰⲔ ϦⲈⲚⲚⲀⲒ ⲈⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ϤⲢⲀⲚⲀϤ ⲘⲪⲚⲞⲨϮ ⲞⲨⲞϨ ϤⲤⲞⲨⲦⲰⲚ ⲠⲈ ϦⲈⲚⲚⲒⲢⲰⲘⲒ.
19 ૧૯ તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
ⲓ̅ⲑ̅ϨⲀⲢⲀ ⲞⲨⲚ ⲘⲀⲢⲈⲚϬⲞϪⲒ ⲚⲤⲀⲚⲀ ϮϨⲒⲢⲎⲚⲎ ⲚⲈⲘ ⲚⲀ ⲠⲒⲔⲰⲦ ⲈⲚⲈⲚⲈⲢⲎⲞⲨ.
20 ૨૦ ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
ⲕ̅ⲘⲠⲈⲢⲂⲈⲖ ⲠⲒϨⲰⲂ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲈⲂⲞⲖ ⲈⲐⲂⲈ ⲞⲨϦⲢⲈ ⲤⲈⲞⲨⲀⲂ ⲘⲈⲚ ⲦⲎⲢⲞⲨ ⲀⲖⲖⲀ ⲞⲨⲠⲈⲦϨⲰⲞⲨ ⲠⲈ ⲘⲠⲒⲢⲰⲘⲒ ⲪⲎ ⲈⲐⲚⲀⲞⲨⲰⲘ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲞⲨϬⲢⲞⲠ.
21 ૨૧ માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
ⲕ̅ⲁ̅ⲚⲀⲚⲈⲤ ⲈϢⲦⲈⲘⲞⲨⲈⲘ ⲀϤ ⲞⲨⲆⲈ ⲈϢⲦⲈⲘⲤⲈ ⲎⲢⲠ ⲚⲈⲘ ⲪⲎ ⲈⲦⲈ ⲠⲈⲔⲤⲞⲚ ⲚⲀϬⲒϬⲢⲞⲠ ⲚϦⲎⲦϤ.
22 ૨૨ જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
ⲕ̅ⲃ̅ⲚⲐⲞⲔ ⲞⲨⲞⲚⲦⲀⲔ ⲚⲞⲨⲚⲀϨϮ ⲘⲘⲀⲨ ⲬⲀϤ ⲚϦⲎⲦⲔ ⲘⲠⲈⲘⲐⲞ ⲘⲪⲚⲞⲨϮ ⲰⲞⲨⲚⲒⲀⲦϤ ⲘⲪⲎ ⲈⲦⲈⲚϤⲚⲀϮϨⲀⲠ ⲈⲢⲞϤ ⲀⲚ ϦⲈⲚⲪⲎ ⲈⲦⲈϤⲚⲀⲈⲢⲆⲞⲔⲒⲘⲀⲌⲒⲚ ⲘⲘⲞϤ.
23 ૨૩ પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
ⲕ̅ⲅ̅ⲪⲎ ⲆⲈ ⲈⲦⲞⲒ ⲚϨⲎⲦ ⲂⲈϢⲰⲠ ⲀϤϢⲀⲚⲞⲨⲰⲘ ⲀϤϨⲒⲦϤ ⲈⲠϨⲀⲠ ϪⲈ ⲚⲞⲨⲈⲂⲞⲖ ϦⲈⲚⲞⲨⲚⲀϨϮ ⲀⲚ ⲠⲈ ϨⲰⲂ ⲆⲈ ⲚⲒⲂⲈⲚ ⲈⲦⲈⲚⲞⲨⲈⲂⲞⲖ ϦⲈⲚⲞⲨⲚⲀϨϮ ⲀⲚ ⲠⲈ ⲞⲨⲚⲞⲂⲒ ⲠⲈ.

< રોમનોને પત્ર 14 >