< ⲦⲒⲦⲞⲤ 3 >

1 ⲁ̅ ⲙⲁ⳿ⲫⲙⲉⲩⲓ ⲛⲱⲟⲩ ⲉⲑⲣⲟⲩϭⲛⲉϫⲱⲟⲩ ⳿ⲛⲛⲓⲁⲣⲭⲏ ⲛⲉⲙ ⲛⲓⲉⲝⲟⲩⲥⲓⲁ ⲉⲩⲟⲓ ⳿ⲛⲣⲉϥϯⲙⲁϯ ⳿ⲛⲥⲉϣⲱⲡⲓ ⲉⲩⲥⲉⲃⲧⲱⲧ ⳿ⲉϩⲱⲃ ⲛⲓⲃⲉⲛ ⲉⲑⲛⲁⲛⲉⲩ.
તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને.
2 ⲃ̅ ⳿ⲛⲥⲉϫⲉⲟⲩ⳿ⲁ ⳿ⲉ⳿ϩⲗⲓ ⲁⲛ ⳿ⲛⲥⲉⲟⲓ ⳿ⲛⲣⲉϥ⳿ⲙⲗⲁϧ ⲁⲛ ⲉⲩⲟⲓ ⳿ⲛⲉⲡⲓⲕⲏⲥ ⲉⲩⲟⲩⲱⲛϩ ⳿ⲉⲃⲟⲗ ⳿ⲙⲙⲉⲧⲣⲉⲙⲣⲁⲩϣ ⲛⲓⲃⲉⲛ ⲛⲉⲙ ⲣⲱⲙⲓ ⲛⲓⲃⲉⲛ.
કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
3 ⲅ̅ ⲛⲁⲛⲟⲓ ⲅⲁⲣ ϩⲱⲛ ⲡⲉ ⳿ⲛⲁⲧ⳿ⲉⲙⲓ ⳿ⲛⲟⲩⲥⲏⲟⲩ ⲉⲛⲟⲓ ⳿ⲛⲁⲧϯⲙⲁϯ ⲟⲩⲟϩ ⲉⲛⲥⲟⲣⲉⲙ ⲉⲛⲟⲓ ⳿ⲙⲃⲱⲕ ⳿ⲛϩⲁⲛⲉⲡⲓⲑⲩⲙⲓⲁ ⲛⲉⲙ ϩⲁⲛϩⲩⲇⲟⲛⲏ ⳿ⲛⲟⲩⲙⲏϣ ⳿ⲛⲣⲏϯ ⲉⲛⲙⲟϣⲓ ϧⲉⲛ ⲟⲩⲕⲁⲕⲓⲁ ⲛⲉⲙ ⲟⲩ⳿ⲫⲑⲟⲛⲟⲥ ⲉⲛ⳿ⲙ⳿ⲡϣⲁ ⳿ⲙⲙⲉⲥⲧⲱⲛ ⲉⲛⲙⲟⲥϯ ⳿ⲛⲛⲉⲛⲉⲣⲏ ⲟⲩ.
કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
4 ⲇ̅ ϩⲟⲧⲉ ⲇⲉ ⲉⲧⲁⲥⲟⲩⲟⲛϩ ⳿ⲉⲃⲟⲗ ⳿ⲛϫⲉ ϯ ⲙⲉⲧⲭ͞ⲣⲥ̅ ⲛⲉⲙ ϯⲙⲉⲧⲙⲁⲓⲣⲱⲙⲓ ⳿ⲛⲧⲉ ⲫϯ ⲡⲉⲛⲥⲱⲧⲏⲣ.
પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
5 ⲉ̅ ⲛⲉ ⳿ⲉⲃⲟⲗ ϧⲉⲛ ⲛⲉⲛ⳿ϩⲃⲏⲟⲩ⳿ⲓ ⲁⲛ ⲉⲧⲁⲛⲁⲓⲧⲟⲩ ϧⲉⲛ ⲟⲩⲙⲉⲑⲙⲏⲓ ⲁⲗⲗⲁ ⲕⲁⲧⲁ ⲡⲉϥⲛⲁⲓ ⲁϥⲛⲁϩⲙⲉⲛ ⳿ⲉⲃⲟⲗ ϩⲓⲧⲉⲛ ⲡⲓϫⲱⲕⲉⲙ ⳿ⲛⲧⲉ ⲡⲓⲟⲩⲁϩⲉⲙⲙⲓⲥⲓ ⲛⲉⲙ ⲡⲓⲟⲩⲁϩⲉⲙⲃⲉⲣⲓ.
ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
6 ⲋ̅ ⲫⲁⲓ ⲉⲧⲁϥϫⲟϣϥ ⳿ⲉ⳿ϩⲣⲏⲓ ⳿ⲉϫⲱⲛ ϧⲉⲛ ⲟⲩⲙⲉⲧⲣⲁⲙⲁ⳿ⲟ ⳿ⲉⲃⲟⲗ ϩⲓⲧⲉⲛ Ⲓⲏ̅ⲥ̅ Ⲡⲭ̅ⲥ̅ ⲡⲉⲛⲥⲱⲧⲏ ⲣ.
પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
7 ⲍ̅ ϩⲓⲛⲁ ⳿ⲛⲧⲉⲛⲙⲁⲓ ϧⲉⲛ ⲡⲓ⳿ϩⲙⲟⲧ ⳿ⲛⲧⲉ ⲫⲏ ⳿ⲉⲧⲉ⳿ⲙⲙⲁⲩ ⳿ⲛⲧⲉⲛϣⲱⲡⲓ ⳿ⲛ⳿ⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲕⲁⲧⲁ ⲟⲩϩⲉⲗⲡⲓⲥ ⳿ⲛⲧⲉ ⲟⲩⲱⲛϧ ⳿ⲛⲉⲛⲉϩ. (aiōnios g166)
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. (aiōnios g166)
8 ⲏ̅ ⳿ϥⲉⲛϩⲟⲧ ⳿ⲛϫⲉ ⳿ⲡⲥⲁϫⲓ ⲟⲩⲟϩ ⲉⲑⲃⲉ ⲛⲁⲓⲕⲉⲭ ⲱⲟⲩⲛⲓ ϯⲟⲩⲱϣ ⲉⲑⲣⲉⲕⲧⲁϫⲣⲟⲕ ϩⲓⲛⲁ ⳿ⲛⲥⲉϥⲓ⳿ⲫⲣⲱⲟⲩϣ ⳿ⲉϯⲧⲟⲧⲟⲩ ⳿ⲛⲛⲓ⳿ϩⲃⲏⲟⲩⲓ ⲉⲑⲛⲁⲛⲉⲩ ⳿ⲛϫⲉ ⲛⲏⲉⲧⲁⲩⲛⲁϩϯ ⳿ⲉⲫϯ ⲛⲁⲓ ⲛⲁⲛⲉⲩ ⲟⲩⲟϩ ⲥⲉⲟⲓ ⳿ⲛϩⲏⲟⲩ ⳿ⲛⲛⲓⲣⲱⲙⲓ.
આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
9 ⲑ̅ ⲛⲓⲕⲱϯ ⲇⲉ ⳿ⲙⲡⲉⲧⲥⲟϫ ⲛⲉⲙ ⲛⲓϫⲱⲟⲩ ⳿ⲛⲥⲁϫⲓ ⲛⲉⲙ ⲛⲓ⳿ϣϭⲛⲏⲛ ⲛⲉⲙ ⲛⲓ⳿ⲙⲗⲁϧ ⳿ⲛⲛⲟⲙⲓⲕⲟⲛ ϩⲉⲛⲕ ⳿ⲉⲃⲟⲗ ⳿ⲙⲙⲱⲟⲩ ⲛⲁⲓ ⲅⲁⲣ ϩⲁⲛⲁⲧ ϯϩⲏⲟⲩ ⲛⲉ ⲟⲩⲟϩ ϩⲁⲛⲉⲫⲗⲏⲟⲩ ⲛⲉ.
પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
10 ⲓ̅ ⲟⲩⲉⲣⲉⲧⲓⲕⲟⲥ ⳿ⲛⲣⲱⲙⲓ ⲙⲉⲛⲉⲛⲥⲁ ⲟⲩⲥⲟⲡ ⲛⲉⲙ ⲃ̅ ⳿ⲛϯ⳿ⲥⲃⲱ ⲛⲁϥ ⲁⲣⲓⲡⲁⲣⲁⲧⲓⲥⲑⲉ ⳿ⲙⲙⲟϥ.
૧૦એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;
11 ⲓ̅ⲁ̅ ⲉⲕ⳿ⲉⲙⲓ ϫⲉ ⲁϥⲫⲱⲛϩ ⳿ⲛϫⲉ ⲫⲁⲓ ⳿ⲙⲡⲁⲓⲣⲏϯ ⲟⲩⲟϩ ⳿ϥⲉⲣⲛⲟⲃⲓ ⳿ⲉⲁϥϩⲓⲧϥ ⳿ⲙⲡⲓϩⲁⲡ ⳿ⲙⲙⲁⲩⲁⲧϥ.
૧૧એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
12 ⲓ̅ⲃ̅ ⲉϣⲱⲡ ⲁⲛϣⲁⲛⲟⲩⲱⲣⲡ ⳿ⲛⲁⲣⲧⲉⲙⲁ ϩⲁⲣⲟⲕ ⲓⲉ ⲧⲓⲭⲓⲕⲟⲥ ⲓⲏⲥ ⳿ⲙⲙⲟⲕ ⳿ⲉ⳿ⲓ ϩⲁⲣⲟⲓ ⳿ⲉⲛⲓⲕⲟⲡⲟⲗⲓⲥ ⲁⲓⲑⲱϣ ⲅⲁⲣ ⳿ⲉⲉⲣϯ⳿ⲫⲣⲱ ⳿ⲙⲙⲁⲩ.
૧૨જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
13 ⲓ̅ⲅ̅ ⲍⲏⲛⲁⲥ ⲡⲓⲛⲟⲙⲓⲕⲟⲥ ⲛⲉⲙ ⲁⲡⲟⲗⲗⲱ ⲟⲩⲟⲣⲡⲟⲩ ϧⲉⲛ ⲟⲩⲓⲏⲥ ϩⲓⲛⲁ ⳿ⲛⲥⲉ⳿ϣⲧⲉⲙϭⲣⲟϩ ⳿ⲛ⳿ϩⲗⲓ.
૧૩ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.
14 ⲓ̅ⲇ̅ ⲙⲁⲣⲟⲩⲥⲁⲃⲟ ⳿ⲛϫⲉ ⲛⲏⲉⲧⲉⲛⲟⲩⲛ ⳿ⲉϥⲓ⳿ⲫⲣⲱⲟⲩϣ ⳿ⲛϩⲁⲛ⳿ϩⲃⲏⲟⲩ⳿ⲓ ⲉⲑⲛⲁⲛⲉⲩ ⳿ⲉⲛⲓⲁⲛⲁⲅⲕⲉⲟⲛ ⳿ⲛ⳿ⲭⲣⲓⲁ ϩⲓⲛⲁ ⳿ⲛⲥⲉ⳿ϣⲧⲉⲙϣⲱⲡⲓ ⲉⲩⲟⲓ ⳿ⲛⲁⲧⲟⲩⲧⲁϩ.
૧૪વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.
15 ⲓ̅ⲉ̅ ⲥⲉϣⲓⲛⲓ ⳿ⲉⲣⲟⲕ ⳿ⲛϫⲉ ⲛⲏⲉⲑⲛⲉⲙⲏⲓ ⲧⲏⲣⲟⲩ ϣⲓⲛⲓ ⳿ⲉⲛⲏⲉⲑⲙⲉⲓ ⳿ⲙⲙⲟⲛ ϧⲉⲛ ⳿ⲫⲛⲁϩϯ ⳿ⲡ⳿ϩⲙⲟⲧ ⲛⲉⲙⲱⲧⲉⲛ ⲧⲏⲣⲟⲩ ⳿ⲡⲣⲟⲥ ⲧⲟⲧⲟⲥ ⲁⲩ⳿ⲥϧⲏⲧⲥ ϧⲉⲛ ⲛⲓⲕⲟⲡⲟⲗⲓⲥ ⲁϥⲉⲣⲉⲡⲓⲥⲕⲟⲡⲟⲥ ⳿ⲛϯⲉⲕ⳿ⲕⲗⲏⲥⲓⲁ ⳿ⲛⲧⲉ ⳿ⲑⲙⲁⲕⲉⲇⲟⲛⲓⲁ
૧૫મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.

< ⲦⲒⲦⲞⲤ 3 >