< ⳰ⲈⲪⲈⲤⲒⲞⲨⲤ 2 >

1 ⲁ̅ ⲟⲩⲟϩ ⳿ⲛⲑⲱⲧⲉⲛ ϩⲱⲧⲉⲛ ⲉⲣⲉⲧⲉⲛⲙⲱⲟⲩⲧ ϧⲉⲛ ⲛⲉⲧⲉⲛⲡⲁⲣⲁ⳿ⲡⲧⲱⲙⲁ ⲛⲉⲙ ⲛⲉⲧⲉⲛⲛⲟⲃⲓ.
વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા;
2 ⲃ̅ ⲛⲏ ⳿ⲉⲛⲁⲣⲉⲧⲉⲛⲙⲟϣⲓ ⳿ⲛ⳿ϧⲣⲏⲓ ⳿ⲛϧⲏⲧⲟⲩ ⳿ⲙⲡⲓⲥⲏⲟⲩ ⲕⲁⲧⲁ ⳿ⲡⲉⲛⲉϩ ⳿ⲛⲧⲉ ⲡⲁⲓⲕⲟⲥⲙⲟⲥ ⲕⲁⲧⲁ ⳿ⲡⲁⲣⲭⲱⲛ ⳿ⲙ⳿ⲡⲉⲣϣⲓϣⲓ ⳿ⲙⲡⲓⲁⲏⲣ ⳿ⲛⲧⲉ ⲡⲓⲡ͞ⲛⲁ̅ ⲫⲁⲓ ⲉⲧⲉⲣϩⲱⲃ ϯⲛⲟⲩ ϧⲉⲛ ⲛⲓϣⲏⲣⲓ ⳿ⲛⲧⲉ ϯⲙⲉⲧⲁⲧⲑⲱⲧ ⳿ⲛϩⲏⲧ. (aiōn g165)
એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; (aiōn g165)
3 ⲅ̅ ⲛⲏⲉⲧⲉ ⳿ⲁⲛⲟⲛ ⲧⲏⲣⲟⲩ ⲛⲁⲛⲙⲟϣⲓ ⳿ⲛ⳿ϧⲣⲏⲓ ⳿ⲛϧⲏⲧⲟⲩ ⳿ⲛⲟⲩⲥⲏⲟⲩ ϧⲉⲛ ⲛⲓⲉⲡⲓⲑⲩⲙⲓⲁ ⳿ⲛⲧⲉ ⳿ⲧⲥⲁⲣⲝ ⲉⲛ⳿ⲓⲣⲓ ⳿ⲛⲛⲓⲟⲩⲱϣ ⳿ⲛⲧⲉ ϯⲥⲁⲣⲝ ⲛⲉⲙ ⲛⲓⲙⲉⲩⲓ ⳿ⲛϩⲏⲧ ⲟⲩⲟϩ ⲛⲁⲛⲟⲓ ⲫⲩⲥⲓⲥ ⳿ⲛϣⲏⲣⲓ ⳿ⲛⲧⲉ ⳿ⲡϫⲱⲛⲧ ⳿ⲙ⳿ⲫⲣⲏϯ ⳿ⲙ⳿ⲡⲕⲉⲥⲉⲡⲓ.
તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
4 ⲇ̅ ⲫϯ ⲇⲉ ⲟⲩⲣⲁⲙⲁ⳿ⲟ ⲡⲉ ϧⲉⲛ ⳿ⲫⲛⲁⲓ ⲉⲑⲃⲉ ⲧⲉϥⲛⲓϣϯ ⳿ⲛⲁⲅⲁⲡⲏ ⲑⲁⲓ ⲉⲧⲁϥⲙⲉⲛⲣⲓⲧⲉⲛ ⳿ⲛϧⲏⲧⲥ.
પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
5 ⲉ̅ ⲟⲩⲟϩ ⲉⲛⲙⲱⲟⲩⲧ ϧⲉⲛ ⲛⲉⲛⲡⲁⲣⲁ⳿ⲡⲧⲱⲙⲁ ⲁϥⲧⲁⲛϧⲟⲛ ϧⲉⲛ Ⲡⲭ̅ⲥ̅ ϧⲉⲛ ⲟⲩ⳿ϩⲙⲟⲧ ⲟⲩⲛ ⲁⲧⲉⲧⲉⲛⲛⲟϩⲉⲙ.
આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
6 ⲋ̅ ⲟⲩⲟϩ ⲁϥⲧⲟⲩⲛⲟⲥⲉⲛ ⲛⲉⲙⲁϥ ⲟⲩⲟϩ ⲁϥ⳿ⲧϩⲉⲙⲥⲟⲛ ⲛⲉⲙⲁϥ ϧⲉⲛ ⲛⲁ ⲛⲓⲫⲏⲟⲩ⳿ⲓ ϧⲉⲛ Ⲡⲭ̅ⲥ̅ Ⲓⲏ̅ⲥ̅.
અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
7 ⲍ̅ ϩⲓⲛⲁ ⳿ⲛⲧⲉϥⲟⲩⲱⲛϩ ⳿ⲉⲃⲟⲗ ϧⲉⲛ ⲛⲓⲉⲛⲉϩ ⲉⲑⲛⲏⲟⲩ ⳿ⲛϯⲙⲉⲧⲣⲁⲙⲁ⳿ⲟ ⲉⲧⲉⲣϩⲟⲩ⳿ⲟ ⳿ⲛⲧⲉ ⲡⲉϥ⳿ϩⲙⲟⲧ ϧⲉⲛ ⲟⲩⲙⲉⲧⲭ͞ⲣⲥ̅ ⳿ⲉ⳿ϩⲣⲏⲓ ⳿ⲉϫⲱⲛ ϧⲉⲛ Ⲡⲭ̅ⲥ̅ Ⲓⲏ̅ⲥ̅. (aiōn g165)
એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે. (aiōn g165)
8 ⲏ̅ ϧⲉⲛ ⲟⲩ⳿ϩⲙⲟⲧ ⲅⲁⲣ ⲁⲧⲉⲧⲉⲛⲛⲟϩⲉⲙ ⳿ⲉⲃⲟⲗ ϩⲓⲧⲉⲛ ⲟⲩⲛⲁϩϯ ⲟⲩⲟϩ ⲫⲁⲓ ⳿ⲛⲟⲩ⳿ⲉⲃⲟⲗ ⳿ⲙⲙⲱⲧⲉⲛ ⲁⲛ ⲡⲉ ⲡⲓⲧⲁⲓⲟ ⲫⲁ ⲫϯ ⲡⲉ.
કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
9 ⲑ̅ ⲛⲉ ⳿ⲉⲃⲟⲗ ϧⲉⲛ ϩⲁⲛ⳿ϩⲃⲏⲟⲩ⳿ⲓ ⲁⲛ ϩⲓⲛⲁ ⳿ⲛⲧⲉ⳿ϣⲧⲉⲙ ⲟⲩⲁⲓ ϣⲟⲩϣⲟⲩ ⳿ⲙⲙⲟϥ.
કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
10 ⲓ̅ ⳿ⲉⲁⲛⲟⲛ ⲟⲩⲑⲁⲙⲓⲟ ⲅⲁⲣ ⳿ⲛⲧⲁϥ ⳿ⲉⲁϥⲥⲟⲛⲧⲉⲛ ϧⲉⲛ Ⲡⲭ̅ⲥ̅ Ⲓⲏ̅ⲥ̅ ⳿ⲉ⳿ϩⲣⲏⲓ ⳿ⲉϫⲉⲛ ϩⲁⲛ⳿ϩⲃⲏⲟⲩ⳿ⲓ ⳿ⲉⲛⲁⲛⲉⲩ ⲛⲏⲉⲧⲁϥⲉⲣϣⲟⲣⲡ ⳿ⲛⲥⲉⲃⲧⲱⲧⲟⲩ ⳿ⲛϫⲉ ⲫϯ ϩⲓⲛⲁ ⳿ⲛⲧⲉⲛⲙⲟϣⲓ ⳿ⲛ⳿ϧⲣⲏⲓ ⳿ⲛϧⲏⲧⲟⲩ.
૧૦કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
11 ⲓ̅ⲁ̅ ⲉⲑⲃⲉⲫⲁⲓ ⲁⲣⲓ⳿ⲫⲙⲉⲩⲓ ϫⲉ ⳿ⲛⲑⲱⲧⲉⲛ ϧⲁ ⲛⲓⲉⲑⲛⲟⲥ ⳿ⲛⲟⲩⲥⲏⲟⲩ ϧⲉⲛ ⳿ⲧⲥⲁⲣⲝ ⲛⲏⲉⲧⲟⲩⲙⲟⲩϯ ⳿ⲉⲣⲱⲟⲩ ϫⲉ ϯⲙⲉⲧⲁⲧⲥⲉⲃⲓ ⳿ⲉⲃⲟⲗ ϩⲓⲧⲉⲛ ⲡⲉⲧⲟⲩⲙⲟⲩϯ ⳿ⲉⲣⲟϥ ϫⲉ ⳿ⲡⲥⲉⲃⲓ ϧⲉⲛ ⳿ⲧⲥⲁⲣⲝ ⳿ⲛⲑⲁⲙⲓⲟ ⳿ⲛϫⲓϫ.
૧૧એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
12 ⲓ̅ⲃ̅ ϫⲉ ⲛⲁⲣⲉⲧⲉⲛⲭⲏ ⳿ⲙⲡⲓⲥⲏⲟⲩ ⳿ⲉⲧⲉ⳿ⲙⲙⲁⲩ ⲥⲁⲃⲟⲗ ⳿ⲙⲠⲭ̅ⲥ̅ ⲉⲣⲉⲧⲉⲛⲟⲓ ⳿ⲛϣⲉⲙⲙⲟ ⳿ⲉϯⲡⲟⲗⲓⲧⲓⲁ ⳿ⲛⲧⲉ ⲡⲓⲥ̅ⲗ̅ ⲟⲩⲟϩ ⳿ⲛϣⲉⲙⲙⲟ ⳿ⲛⲛⲓⲇⲓ⳿ⲁⲑⲏ ⲕⲏ ⳿ⲛⲧⲉ ϯⲉⲡⲁⲅⲅⲉⲗⲓⲁ ⳿ⲙⲙⲟⲛⲧⲉⲧⲉⲛ ϩⲉⲗⲡⲓⲥ ⳿ⲙⲙⲁⲩ ⲟⲩⲟϩ ⲉⲣⲉⲧⲉⲛⲟⲓ ⳿ⲛⲁⲑⲛⲟⲩϯ ϧⲉⲛ ⲡⲓⲕⲟⲥⲙⲟⲥ.
૧૨તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
13 ⲓ̅ⲅ̅ ϯⲛⲟⲩ ⲇⲉ ϧⲉⲛ Ⲡⲭ̅ⲥ̅ Ⲓⲏ̅ⲥ̅ ⳿ⲛⲑⲱⲧⲉⲛ ϧⲁ ⲛⲏⲉⲑⲟⲩⲏⲟⲩ ⳿ⲙⲡⲓⲥⲏⲟⲩ ⲁⲧⲉⲧⲉⲛϧⲱⲛⲧ ϧⲉⲛ ⳿ⲡ⳿ⲥⲛⲟϥ ⳿ⲙⲠⲭ̅ⲥ̅.
૧૩પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
14 ⲓ̅ⲇ̅ ⳿ⲛⲑⲟϥ ⲅⲁⲣ ⲡⲉⲧⲉⲛϩⲓⲣⲏⲛⲏ ⲫⲏⲉⲧⲁϥⲉⲣ ⲡⲓⲃ̅ ⳿ⲛⲟⲩⲁⲓ ⲟⲩⲟϩ ϯϫⲓⲛ⳿ⲑⲙⲏϯ ⳿ⲛⲧⲉ ⲡⲓⲑⲱⲙ ⲁϥⲃⲟⲗⲥ ⳿ⲉⲃⲟⲗ ⳿ⲉⲁϥⲃⲉⲗ ϯⲙⲉⲧϫⲁϫⲓ ⳿ⲉⲃⲟⲗ ϧⲉⲛ ⲧⲉϥⲥⲁⲣⲝ.
૧૪કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
15 ⲓ̅ⲉ̅ ⳿ⲫⲛⲟⲙⲟⲥ ⳿ⲛⲧⲉ ⲛⲓⲉⲛⲧⲟⲗⲏ ϧⲉⲛ ⲛⲓⲇⲟⲅⲙⲁ ⲁϥⲕⲟⲣϥϥ ϩⲓⲛⲁ ⳿ⲛⲧⲉϥⲥⲱⲛⲧ ⳿ⲙⲡⲓⲃ̅ ⳿ⲛ⳿ϧⲣⲏⲓ ⳿ⲛϧⲏⲧϥ ⳿ⲛⲟⲩⲣⲱⲙⲓ ⳿ⲛⲟⲩⲱⲧ ⳿ⲙⲃⲉⲣⲓ ⲉϥ⳿ⲓⲣⲓ ⳿ⲛⲟⲩϩⲓⲣⲏⲛⲏ.
૧૫સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
16 ⲓ̅ⲋ̅ ⲟⲩⲟϩ ⳿ⲛⲧⲉϥϩⲱⲧⲡ ⳿ⲙⲡⲓⲃ̅ ϧⲉⲛ ⲟⲩⲥⲱⲙⲁ ⳿ⲛⲟⲩⲱⲧ ⳿ⲙⲫϯ ⳿ⲉⲃⲟⲗ ϩⲓⲧⲉⲛ ⲡⲓ ̇⳿ⲉⲁϥϧⲱⲧⲉⲃ ⳿ⲛϯⲙⲉⲧϫⲁϫⲓ ⳿ⲛ⳿ϧⲣⲏⲓ ⳿ⲛϧⲏⲧϥ.
૧૬અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
17 ⲓ̅ⲍ̅ ⲟⲩⲟϩ ⲁϥ⳿ⲓ ⲁϥϩⲓϣⲉⲛⲛⲟⲩϥⲓ ⲛⲱⲧⲉⲛ ⳿ⲛⲟⲩϩⲓⲣⲏⲛⲏ ϧⲁ ⲛⲏⲉⲑⲟⲩⲏⲟⲩ ⲛⲉⲙ ⲟⲩϩⲓⲣⲏⲛⲏ ⳿ⲛⲛⲏⲉⲧϧⲉⲛⲧ.
૧૭અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
18 ⲓ̅ⲏ̅ ϫⲉ ⳿ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲧϥ ⲟⲩⲟⲛⲧⲁⲛ ⳿ⲙⲙⲁⲩ ⳿ⲙⲡⲓϫⲓⲛ⳿ⲓ ⳿ⲉϧⲟⲩⲛ ϧⲁ ⲡⲓⲃ̅ ⲉⲩⲥⲟⲡ ϧⲉⲛ ⲟⲩⲡ͞ⲛⲁ̅ ⳿ⲛⲟⲩⲱⲧ ϩⲁ ⳿ⲫⲓⲱⲧ.
૧૮કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
19 ⲓ̅ⲑ̅ ϩⲁⲣⲁ ⲟⲩⲛ ⳿ⲛⲑⲱⲧⲉⲛ ϩⲁⲛϣⲉⲙⲙⲱⲟⲩ ⲁⲛ ϫⲉ ⲛⲉⲙ ϩⲁⲛⲣⲉⲙ⳿ⲛϫⲱⲓⲗⲓ ⲁⲗⲗⲁ ϩⲁⲛ⳿ϣⲫⲏ ⲣ ⳿ⲛⲣⲉⲙ⳿ⲙⲃⲁⲕⲓ ⳿ⲛⲧⲉ ⲛⲓⲁⲅⲓⲟⲥ ⲛⲉⲙ ϩⲁⲛⲣⲉⲙ⳿ⲛⲏ ⲓ ⳿ⲛⲧⲉ ⲫϯ.
૧૯એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
20 ⲕ̅ ⳿ⲉⲁⲩⲕⲉⲧ ⲑⲏⲛⲟⲩ ⳿ⲉϫⲉⲛ ϯⲥⲉⲛϯ ⳿ⲛⲧⲉ ⲛⲓⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲛⲉⲙ ⲛⲓⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉϥⲟⲓ ⳿ⲛϫⲱϫ ⳿ⲛⲗⲁⲕϩ ⳿ⲉⲣⲟⲥ ⳿ⲛϫⲉ Ⲡⲭ̅ⲥ̅ Ⲓⲏ̅ⲥ̅.
૨૦પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
21 ⲕ̅ⲁ̅ ⲫⲁⲓ ⲉⲧⲉ ⲡⲓⲕⲱⲧ ⲧⲏⲣϥ ⳿ϫⲫⲏⲟⲩⲧ ⳿ⲛ⳿ϧⲣⲏ ⲓ ⳿ⲛϧⲏⲧϥ ⳿ϥⲛⲁⲁⲓⲁⲓ ⲉⲩⲉⲣⲫⲉⲓ ⲉϥⲟⲩⲁⲃ ϧⲉⲛ Ⲡ⳪.
૨૧તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
22 ⲕ̅ⲃ̅ ⲫⲁⲓ ⲉⲧⲉⲧⲉⲛⲟⲓ ⳿ⲛ⳿ϣⲫⲏⲣ ⳿ⲛⲕⲱⲧ ϩⲱⲧⲉⲛ ⳿ⲛϧⲏⲧϥ ⲉⲩⲙⲁ⳿ⲛϣⲱⲡⲓ ⳿ⲙⲫϯ ϧⲉⲛ ⲡⲓⲡ͞ⲛⲁ̅
૨૨તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.

< ⳰ⲈⲪⲈⲤⲒⲞⲨⲤ 2 >