< ⲦⲒⲦⲞⲤ 1 >

1 ⲁ̅ ⲠⲀⲨⲖⲞⲤ ⲪⲂⲰⲔ ⲘⲪⲚⲞⲨϮ ⲠⲀⲠⲞⲤⲦⲞⲖⲞⲤ ⲚⲦⲈⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲔⲀⲦⲀ ⲪⲚⲀϨϮ ⲚⲚⲒⲤⲰⲦⲠ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲚⲈⲘ ⲠⲤⲞⲨⲈⲚ ϮⲘⲈⲐⲘⲎⲒ ⲔⲀⲦⲀ ϮⲘⲈⲦⲈⲨⲤⲈⲂⲎ Ⲥ
સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
2 ⲃ̅ ϦⲈⲚ ⲞⲨϨⲈⲖⲠⲒⲤ ⲚⲦⲈⲞⲨⲰⲚϦ ⲚⲈⲚⲈϨ ⲪⲀⲒ ⲈⲦⲀϤⲰϢ ⲘⲘⲞϤ ⲚϪⲈⲠⲒⲀⲦⲘⲈⲐⲚⲞⲨϪ ⲪⲚⲞⲨϮ ϦⲀϪⲰⲞⲨ ⲚⲚⲒⲤⲎⲞⲨ ⲚⲈⲚⲈϨ. (aiōnios g166)
અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું. (aiōnios g166)
3 ⲅ̅ ⲀϤⲞⲨⲞⲚϨ ⲆⲈ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲚⲈϤⲤⲎⲞⲨ ⲘⲠⲈϤⲤⲀϪⲒ ϦⲈⲚⲞⲨϨⲒⲰⲒϢ ⲪⲀⲒ ⲀⲚⲞⲔ ⲈⲦⲀⲨⲦⲈⲚϨⲞⲨⲦ ⲈⲢⲞϤ ⲔⲀⲦⲀ ⲠⲒⲞⲨⲀϨⲤⲀϨⲚⲒ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲠⲈⲚⲤⲰⲦⲎⲢ
નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.
4 ⲇ̅ ⲚⲦⲒⲦⲞⲤ ⲠⲀⲘⲈⲚⲢⲒⲦ ⲚϢⲎⲢⲒ ⲔⲀⲦⲀ ϮⲘⲈⲦϢⲪⲎⲢ ⲚⲦⲈⲪⲚⲀϨϮ ⲠϨⲘⲞⲦ ⲚⲈⲘ ⲦϨⲒⲢⲎ ⲚⲎ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲈⲚ ⲪⲚⲞⲨϮ ⲪⲒⲰⲦ ⲚⲈⲘ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲈⲚⲤⲰⲦⲎⲢ.
ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.
5 ⲉ̅ ⲈⲐⲂⲈⲪⲀⲒ ⲀⲒⲤⲞϪⲠⲔ ϦⲈⲚⲔⲢⲒⲐⲎ ϨⲒⲚⲀ ⲚⲒⲤⲰϪⲠ ⲚⲦⲈⲔⲦⲀϨⲰⲞⲨ ⲈⲢⲀⲦⲞⲨ ⲞⲨⲞϨ ⲚⲦⲈⲔⲤⲈⲘⲚⲒ ⲚϨⲀⲚⲠⲢⲈⲤⲂⲨⲦⲈⲢⲞⲤ ⲔⲀⲦⲀ ⲂⲀⲔⲒ ⲔⲀⲦⲀ ⲪⲢⲎϮ ⲈⲦⲀⲒⲞⲨⲀϨⲤⲀϨⲚⲒ ⲚⲀⲔ.
જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.
6 ⲋ̅ ⲞⲨⲀⲒ ⲈϤⲞⲒ ⲚⲀⲦⲖⲰⲒϪⲒ ⲈⲀϤⲈⲢϨⲀⲒ ⲚⲞⲨⲤϨⲒⲘⲒ ⲚⲞⲨⲰⲦ ⲈⲞⲨⲞⲚⲦⲀϤ ⲘⲘⲀⲨ ⲚϨⲀⲚϢⲎ ⲢⲒ ⲘⲠⲒⲤⲦⲞⲤ ⲚⲤⲈϦⲈⲚ ⲞⲨⲔⲀⲦⲎⲄⲞⲢⲒⲀ ⲀⲚ ⲘⲘⲈⲦⲀⲦⲞⲨϪⲀⲒ ⲒⲈ ⲈⲨⲞⲒ ⲚⲀⲦϬⲚⲈϪⲰⲞⲨ.
જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
7 ⲍ̅ ⲤϢⲈ ⲄⲀⲢ ⲚⲦⲈⲠⲒⲈⲠⲒⲤⲔⲞⲠⲞⲤ ϢⲰⲠⲒ ⲈϤⲞⲒ ⲚⲀⲦⲖⲰⲒϪⲒ ϨⲰⲤ ⲞⲨⲞⲒⲔⲞⲚⲞⲘⲞⲤ ⲚⲦⲈⲪⲚⲞⲨϮ ⲚⲞⲨⲀⲨⲐⲀⲦⲎⲤ ⲀⲚ ⲠⲈ ⲚⲞⲨⲢⲈϤϪⲰⲚⲦ ⲀⲚ ⲠⲈ ⲚⲞⲨⲤⲈ ϨⲞⲨⲞ ⲎⲢⲠ ⲀⲚ ⲠⲈ ⲚⲞⲨⲢⲈϤϮⲦⲈⲚϢⲒ ⲀⲚ ⲠⲈ ⲚⲞⲨⲘⲀⲒϨⲎⲞⲨ ⲈϤϢⲎϢ ⲀⲚ ⲠⲈ.
કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
8 ⲏ̅ ⲈⲞⲨⲘⲀⲒϢⲈⲘⲘⲞ ⲠⲈ ⲘⲘⲀⲒⲠⲈⲐⲚⲀⲚⲈϤ ⲚⲤⲀⲂⲈ ⲚⲐⲘⲎⲒ ⲈϤⲦⲞⲨⲂⲎⲞⲨⲦ ⲈⲞⲨⲈⲄⲔⲢⲀⲦⲎⲤ ⲠⲈ.
પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
9 ⲑ̅ ⲈϤⲀⲘⲞⲚⲒ ⲘⲠⲒⲤⲀϪⲒ ⲈⲦⲈⲚϨⲞⲦ ⲈϮⲤⲂⲰ ϨⲒⲚⲀ ⲚⲦⲈϤϪⲈⲘϪⲞⲘ ⲚϮⲚⲞⲘϮ ϦⲈⲚϮⲤⲂⲰ ⲈⲐⲞⲨⲞϪ ⲞⲨⲞϨ ⲚⲦⲈϤⲤⲞϨⲒ ⲚⲚⲎ ⲈⲦⲈⲢⲀⲚⲦⲒⲖⲈⲄⲒⲚ.
અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
10 ⲓ̅ ⲞⲨⲞⲚ ⲞⲨⲘⲎϢ ⲄⲀⲢ ⲈⲨⲞⲒ ⲚⲀⲦϬⲚⲈϪⲰⲞⲨ ⲞⲨⲞϨ ⲚⲢⲈϤⲤⲀϪⲒ ⲘⲘⲈⲦⲈⲪⲖⲎⲞⲨ ⲈⲨⲞⲒ ⲚⲢⲈϤⲈⲢϨⲀⲖ ⲚϨⲎⲦ ⲘⲀⲖⲒⲤⲦⲀ ⲚⲒⲈⲂⲞⲖ ϦⲈⲚⲠⲤⲈⲂⲒ.
૧૦કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે.
11 ⲓ̅ⲁ̅ ⲚⲀⲒ ⲈⲦⲤϢⲈ ⲚⲐⲰⲘ ⲈⲢⲰⲞⲨ ⲚⲎ ⲈⲦⲢⲒⲔⲒ ⲈⲂⲞⲖ ⲘⲠⲦⲎⲢϤ ⲚⲦⲈϨⲀⲚⲎⲒ ⲈⲨϮⲤⲂⲰ ⲚⲚⲎ ⲈⲦⲤϢⲈ ⲀⲚ ⲈⲐⲂⲈ ⲞⲨϨⲎⲞⲨ ⲈϤϢⲞϢϤ.
૧૧તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.
12 ⲓ̅ⲃ̅ ⲞⲨⲀⲒ ⲆⲈ ⲈⲂⲞⲖ ⲚϦⲎⲦⲞⲨ ⲀϤϪⲞⲤ ⲞⲨⲠⲢⲞⲪⲎⲦⲎⲤ ⲚⲦⲰⲞⲨ ϪⲈ ⲚⲒⲔⲢⲎⲦⲎⲤ ϨⲀⲚⲢⲈϤϪⲈⲘⲈⲐⲚⲞⲨϪ ⲚⲤⲎⲞⲨ ⲚⲒⲂⲈⲚ ϨⲀⲚⲐⲎⲢⲒⲞⲚ ⲈⲨϨⲰⲞⲨ ⲚⲈϨⲀⲚⲚⲈϪⲒ ⲚⲀⲢⲄⲞⲤ ⲚⲈ.
૧૨તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”
13 ⲓ̅ⲅ̅ ⲦⲀⲒⲘⲈⲦⲘⲈⲐⲢⲈ ⲞⲨⲘⲎⲒ ⲦⲈ ⲈⲐⲂⲈ ⲦⲀⲒⲖⲰⲒϪⲒ ⲤⲞϨⲒ ⲘⲘⲰⲞⲨ ϦⲈⲚⲞⲨϢⲰⲦ ⲈⲂⲞⲖ ϨⲒⲚⲀ ⲚⲤⲈⲞⲨϪⲀⲒ ϦⲈⲚⲪⲚⲀϨϮ.
૧૩આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,
14 ⲓ̅ⲇ̅ ⲚⲤⲈϮ ⲚϨⲐⲎⲞⲨ ⲀⲚ ⲚϨⲀⲚϢϤⲰ ⲘⲘⲈⲦⲒⲞⲨⲆⲀⲒ ⲚⲈⲘ ϨⲀⲚⲈⲚⲦⲞⲖⲎ ⲚⲢⲰⲘⲒ ⲈⲨⲪⲰⲚϨ ⲘⲘⲰⲞⲨ ⲤⲀⲂⲞⲖ ⲚⲐⲘⲎⲒ.
૧૪તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
15 ⲓ̅ⲉ̅ ϨⲰⲂ ⲄⲀⲢ ⲚⲒⲂⲈⲚ ⲤⲈⲞⲨⲀⲂ ⲚⲚⲎ ⲈⲦⲦⲞⲨⲂⲎ ⲞⲨⲦ ⲚⲎ ⲆⲈ ⲈⲦⲤⲞϤ ⲚⲈⲘ ⲚⲒⲀⲐⲚⲀϨϮ ⲘⲘⲞⲚ ϨⲖⲒ ⲈϤⲞⲨⲀⲂ ⲚⲰⲞⲨ ⲀⲖⲖⲀ ⲀϤⲤⲞϤ ⲚϪⲈⲠⲞⲨϨⲎⲦ ⲚⲈⲘ ⲦⲞⲨⲤⲨⲚⲎⲆⲈⲤⲒⲤ.
૧૫શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
16 ⲓ̅ⲋ̅ ⲤⲈⲞⲨⲰⲚϨ ⲘⲪⲚⲞⲨϮ ⲈⲂⲞⲖ ϪⲈ ⲤⲈⲤⲰⲞⲨⲚ ⲘⲘⲞϤ ⲚϨⲢⲎⲒ ⲆⲈ ϦⲈⲚⲚⲞⲨϨⲂⲎⲞⲨⲒ ⲤⲈϪⲰⲖ ⲘⲘⲞϤ ⲈⲂⲞⲖ ⲈⲨⲞⲢⲈⲂ ⲈⲨⲞⲒ ⲚⲀⲦϮⲘⲀϮ ⲈⲨⲞⲒ ⲚⲀⲦϢⲀⲨ ⲘⲠⲔⲰϮ ⲚϨⲰⲂ ⲚⲒⲂⲈⲚ ⲈⲐⲚⲀⲚⲈⲨ.
૧૬અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.

< ⲦⲒⲦⲞⲤ 1 >